રાહુલ ગાંધીને ફરી એકવાર અધ્યક્ષ બનાવવા અંગે કોંગ્રેસમાં માંગ ઉઠવા લાગી છે. તેવામાં કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે મોટો દાવો કર્યો છે. શક્તિસિંહે કહ્યું કે UPA-2 દરમિયાન રાહુલ ગાંધી પાસે પ્રધાનમંત્રી બનવાની તક હતી પણ...
કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કર્યો દાવો
UPA-2માં મનમોહનસિંહે રાહુલ ગાંધીને PM પદની ઓફર કરી હતી
મનમોહનસિંહની તબીયત અસ્વસ્થ રહેતા PM બનવાની તક આપી હતી
રાહુલ ગાંધી પાસે પીએમ બનવાની તક હતી પણ તેમને પદની લાલચ નથી. શક્તિસિંહે કહ્યું કે, મનમોહનસિંહે તબિયત નાદુરસ્ત હોવાથી રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી બનવાની ઓફર કરી હતી. જો કે રાહુલ ગાંધીને પદની કોઈ લાલચ ન હતી. જેથી રાહુલ ગાંધીએ મનમોહનસિંહને ઈનકાર કરી દીધો હતો. તેમજ કહ્યું હતું કે તેઓ તેમનો કાર્યકાળ પૂર્ણ કરે.
એક ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં ગોહિલે ભાર પૂર્વ કર્યું કે ગાંધી પરિવારે હંમેશા દરિયાદિલી બતાવી છે અને ખાનગી હિતો કરતા પાર્ટી અને દેશહિતને ઉપર રાખ્યું છે. તેમણે કહ્યું કે આજે દેશના યુવાનો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઈચ્છે છે કે રાહુલ ગાંધી જ પાર્ટીનું નેતૃત્વ કરે. પરંતુ આ નિર્ણય લેવાનો અધિકાર કોંગ્રેસ કાર્યસમિતિ અને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીનો કહેશે.