દેશની રાજધાની દિલ્હીમાં નાગરિક્તા સંશોધન એક્ટના નામ પર થયેલી હિંસાને પગલે કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકાર પર નિશાનો સાધ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં ગરુવારે એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત કરી હતી. આ બેઠકમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો અને દિલ્હી હિંસાને રાષ્ટ્રીય શરમ ગણાવી હતી. તેમજ કેન્દ્ર સરકારને રાજધર્મનું પાલન કરવાની અપીલ કરી છે.
કોંગ્રેસના પ્રતિનિધીઓએ ગૃહમંત્રીને હટાવવાની કરી માંગ
કોંગ્રેસે રાષ્ટ્રપતિ કોવિંદને મેમોરેન્ડમ આપ્યું
પ્રિયંકા-સોનિયા ગાંધી, મનમોહન સિંહએ રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત
દિલ્હીની હિંસા મામલે કોંગ્રેસે રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે દિલ્હી હિંસાના મામલે અમે રાષ્ટ્રપતિની મુલાકાત કરી હતી. જે દિલ્હીમાં થયું તે એક રાષ્ટ્રીય શરમ છે. આ સીધી રીતે કેન્દ્ર સરકારની નિષ્ફળતા છે. મનમોહન સિંહે કહ્યું કે અમે રાષ્ટ્રપતિને કહ્યું છે કે તે પોતાના પાવરનો ઉપયોગ કરે અને કેન્દ્ર સરકાર સાથે વાત કરે અને તેમને રાજધર્મની રક્ષા કરવાનું કહે.
Congress delegation led by Congress President Smt. Sonia Gandhi & Former PM Dr. Manmohan Singh meet with the Honourable President of India, to present a memorandum on the Delhi violence. pic.twitter.com/jAzyh0fEvy
દિલ્હી હિંસાના મામલે કોંગ્રેસે મોદી સરકાર પર હુમલો કર્યો છે. સોનિયા ગાંધીની આગેવાનીમાં પ્રેસ કોન્ફરન્સ બાદ બુધવારે સોનિયાએ મીડિયા સાથેની વાતચીતમાં કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર પર નિશાનો સાધ્યો હતો અને કહ્યું હતું કે હિંસા દરમિયાન બન્ને સરકાર મુકદર્શન બની રહી છે.
પ્રિયંકા-સોનિયા ગાંધી, મનમોહન સિંહએ રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત
ઉલ્લેખનીય છે કે દિલ્હી 24 અને 25 ફેબ્રુઆરીએ થયેલી હિંસાને લઈને કોંગ્રેસના નેતાઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહન સિંહ, આનંદ શર્મા, રણદીપ સુરજેવાલા સહિતના નેતાઓએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. હિંસાને લઈને કોંગ્રેસના નેતાઓએ ગૃહમંત્રીને હટાવવાની માગ કરી છે. રાષ્ટ્રપતિને કોંગ્રેસના નેતાઓએ મેમોરેન્ડમ આપીને ગૃહમંત્રીને હટાવવાની માગ કરી.
કોંગ્રેસે રાષ્ટ્રપતિ કોવિંદને મેમોરેન્ડમ આપ્યું
રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા બાદ કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ નિવેદન આપ્યુ કે, દિલ્હીની પોલીસ અને ગૃહમંત્રી હિંસાને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ. દિલ્હીમાં થયેલી હિંસામાં 34ના મોત થયા. જ્યારે 200થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા મેમોરેન્ડમ આપીને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. આ મેમોરેન્ડમમાં પીડિતોને મદદ કરવાની પણ માગ કરાઈ છે.