આજકાલ મોટાભાગના લોકો કેન્સર અથવા બીજી ઘાતક બીમારીઓથી પીડિત રહે છે. એનું કારણ ખોટી લાઇફસ્ટાઇલ અને ખાનપાન હોઇ શકે છે. એનાથી છુટકારો મેળવવા માટે મંજિષ્ઠા નામની જડી બૂટ્ટી ખૂબ ફાયદાકારક હોય છે. આ લોહીને ચોખ્ખું કરવાથી લઇને ઇન્ફેક્શનને દૂર કરવા વગેરેમાં મદદ કરે છે.
મંજિષ્ઠાને મંજીઠ નામથી પણ ઓળખવામાં આવે છે. એમાં એન્ટીઓક્સીડેન્ટ પ્રચુર માત્રામાં મળી આવે છે. આ કોલોરેક્ટલ કેન્સરના ઉપચાર માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. કેન્સરના બેક્ટેરિયાને શરીરમાં ફેલાવતા રોકવા માટે દરરોજ એની ચાર ચમચી પાઉડરનું સેવન કરો.
મંજિષ્ઠામાં ફલાસરપી નામનું તત્વ મોજૂદ હોય છે. આ પ્રજનન ક્ષમતા વધારવામાં મદદ કરે છે. એના સેવનથી મા બનવામાં આવી રહેલી સમસ્યા દૂર થાય છે.
મંજિષ્ઠા એક પ્રાકૃતિક રક્ત શોધકનું કામ કરે છે. એટલા માટે ખણ, સોરાયસિસ, સ્કીનની બળતરા અને દાદરથી રાહત અપાવે છે.
મંજિષ્ઠાની છાલને પાણીમાં ઉકાળીને એનો કાઢો પીવાછી મોઢાના અલ્સરમાં ફાયદો થાય છે. એનાથી મોઢામાં બનતા બેક્ટોરિયા પણ નષ્ટ થાય છે.
મંજિષ્ઠાને ખાવાથી ટ્યૂમરમાં પણ લાભ મળે છે.
આ શરીરની પ્રતિરક્ષા પ્રણાલીને દુરુસ્ત કરે છે. જેનાથી ઇન્ફેક્શન થતું નથી. આ શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
મંજિષ્ઠાની છાલને પાણીમાં ઉકાળીને એને પીવાથી વજન ઓછું થાય છે. એનાથી મેટબોલિઝ્મ ફાસ્ટ થાય છે. જેનાથી શરીરની વધારાની ચરબી ઓગળે છે.