સપાના નેતા આઝમ ખાને ભાજપના સાંસદ રમા દેવીને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારે હવે આઝમ ખાનના સમર્થનમાં બિહારના પૂર્વ સીએમ જીતનરામ માંઝીએ પણ સમર્થન આપતા કહ્યુ કે, તેમના નિવેદનમાં કંઈ પણ ખોટું નથી તેમણે કહ્યું કે આઝમ ખાને સારા સેન્સમાં વાત કરી હતી. મા દીકરો અને ભાઈ બહેન એક બીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી શકે છે.
તેમણે વધુમાં કહ્યું કે, જૂના સમયમાં લોકો આખા પરિવારને પ્રેમ કરતા હતા અને લાંબા સમય બાદ જ્યારે મળે તો તેઓ એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા હતા. પરંતુ જો આઝમ ખાનના નિવેદનથી રમા દેવીને ખોટું લાગ્યુ હોય તો રમા દેવી પાસે આઝમ ખાને માફી માગવી જોઈએ. પરંતુ રાજીનામુ આપવું જોઈને નહીં પણ માફી માગવી જોઈએ.
#WATCH Hindustani Awam Morcha leader& ex Bihar CM Jitan Manjhi: When brother sister meet they kiss, is it equal to sex? Mother kisses son, son kisses mother,is it sex? Azam Khan's remark(on BJP's Rama Devi) is being misinterpreted. So he should apologize but not resign (27.7) pic.twitter.com/bOUzxbH9rX
ઉલ્લેખનીય છે કે લોકસભામાં ત્રિપલ તલાક બિલ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના રામપુરના સાંસદ આઝમ ખાને એક ટિપ્પણી કરતાં હોબાળો મચી ગયો હતો. આઝમ ખાને પોતાની વાતની શરૂઆત એક શેર 'તુ ઇધર-ઉધર કી ના બાત કર..'થી કરી, પરંતુ ત્યારબાદ આઝમ ખાને કહ્યું તેના પર ભારતીય જનતા પાર્ટી તરફથી હંગામો શરૂ થઇ ગયો. જે સમયે આઝમ ખાન બોલી રહ્યાં હતા ત્યારે સ્પીકરની ખુરશી પર ભાજપના સાંસદ રમા દેવી બેઠા હતા.
સ્પીકરે કર્યો વિરોધ
આઝમ ખાનના આ નિવદન પર સ્પીકર રમાદેવી પણ વાંધો લીધો અને ભાજપ સાંસદોએ પણ આ બાબતનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ ઓમ બિરલા ફરી ખુરશી પર બેઠા. રવિશંકર પ્રસાદે કહ્યું કે આઝમે પોતાના નિવેદન મામલે માફી માગવી જોઇએ. તો આઝમે પલટવાર કરતા કહ્યું કે રમાદેવી પોતાની બહેન જેવી છે તો માફી શેના માટે...? જો કે આ નિવેદન પર સાંસદોએ હંગામો શરૂ કર્યો હતો.
અખિલેશ યાદવ બચાવમાં
જો કે, સપા અધ્યક્ષ અને સાંસદ અખિલેશ યાદવે સાંસદ આઝમ ખાનનો બચાવ કર્યો હતો. અખિલેશે કહ્યું કે તેમને નથી લાગતું આઝમ ખાને કાઇ વાંધાજનક વાત કરી હોય. ખુરશીના સંદર્ભમાં પણ કોઇ એવી વાત કરી હોય.