દિલ્હી દારુ કૌભાંડમાં ફંસાયેલા મનીષ સિસોદિયાને EDએ શુક્રવારે રાહુઝ એવેન્યૂ કોર્ટમાં રજૂ કર્યો હતો.ઈડીએ સિસોદિયાની વધુ 7 દિવસની રિમાન્ડ માગી છે જેમાં કોર્ટે 5 દિવસની રિમાન્ડ મંજૂર કરી છે.
મનીષ સિસોદિયાને વધુ 5 દિવસની રિમાન્ડ
ઈડીએ કોર્ટમાં માગી હતી 7 દિવસની રિમાન્ડ
તપાસ માટે વધુ સમય માગી રહી છે ED
દિલ્હી દારુ કૌભાંડમાં મની લોન્ડેરિંગની તપાસ કરી રહેલી EDએ AAP નેતા મનીષ સિસોદિયાની કસ્ટડી પૂરી થયા બાદ શુક્રવારે તેમને રાઉઝ એવેન્યૂ કોર્ટમાં રજૂ કર્યો હતો. ઈડીએ સિસોદિયાની વધારે 7 દિવસનાં રિમાન્ડની ડિમાન્ડ કોર્ટમાં કરી હતી જ્યારે કોર્ટે 5 દિવસની રિમાન્ડ માટે મંજૂરી આપી છે.
22 માર્ચનાં બપોરે કોર્ટમાં રજૂ થશે સિસોદિયા
હવે સિસોદિયાને 22 માર્ચનાં બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટે પોતાના આદેશમાં મનીષ સિસોદિયાને પોતાના ઘરેલૂ ખર્ચાઓ માટે ચેક પર હસ્તાક્ષર કરવા અને જપ્ત કરવામાં આવેલા બેંકનાં ખાતાઓનો ઉપયોગ કરવાની પણ પરવાનગી આપી છે.
7 દિવસમાં 11 કલાકની પૂછપરછ
આ પહેલા સુનાવણી દરમિયાન સિસોદિયાનાં વકીલે દાવો કર્યો કે પૂછપરછનાં નામ પર એજન્સી માક્ષ અહીં-ત્યાં બેસે છે. 7 દિવસમાં માત્ર 11 કલાકની પૂછપરછ કરી છે. EDએ કોર્ટમાં કહ્યું કે તપાસ અત્યારે મહત્વના વળાંક પર છે. જો અત્યારે કસ્ટડી ન મળી તો સમગ્ર મહેનત બેકાર જશે.એટલું જ નહીં ED મનીષ સિસોદિયાની પૂછપરછ CCTVની નજર હેઠળ કરી રહી છે. હાલમાં 2 લોકોને 18 અને 19 તારીખે નિવેદન આપવા માટે બોલાવવામાં આવ્યું છે.
સિસોદિયાના વકીલે કરી દલીલ
સિસોદિયાનાં વકીલે કહ્યું કે CBI FIRનાં કેટલાક દિવસની અંદર ઓગસ્ટ 2022માં ECIR દાખલ કરી હતી, કમ્પ્યૂટરને જપ્ત કરીને તપાસ કરી હવે અન્ય એજન્સી સમાન પ્રક્રિયાને રીપીટ કરવા ઈચ્છે છે. સિસોદિયાનાં વકીલે EDની રિમાન્ડ વધારવાની માગનો વિરોધ કર્યો.સિસોદિયાનાં વકીલે કહ્યું કે ED CBIની પ્રોક્સી એજન્સીનાં રૂપમાં કામ કરી રહી છે. વકીલે કહ્યું કે EDએ જણાવવું પડશે કે પ્રોસીડ ઓફ ક્રાઈમ શું થયો હતો, એ જ નથી જણાવવું કે ગુનો શું કર્યો હતો?