દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ આપ પાર્ટીની સરકાર દ્વારા બનાવેલા સ્કૂલોના રૂમને લઇને ખોટા આરોપો માટે દિલ્હી ભાજપ પ્રમુખ મનોજ તિવારી અને તેમની પાર્ટીના સહયોગીઓ વિજેન્દ્ર ગુપ્તા અને પ્રવેશ વર્માને કાનૂની નોટિસ ફટકારી છે.
શિક્ષા વિભાગનો પ્રભાર સંભાળી રહેલા સિસોદિયાએ તેમને લેખિત માફીપત્રની માંગ કરી છે અને કહ્યું કે એમન ન કરવા પર માનહાનિ કેસ સહિત કાનૂની પ્રક્રિયા શરૂ કરશે.
ડેપ્યૂટી મુખ્યમત્રીએ પોતાના વકીલ મોહમ્મદ ઇરસાદ દ્વારા નોટિસ મોકલી છે. તિવારી અને અન્ય નેતાઓએ સોમવારે આરોપ લગાવ્યા હતા કે દિલ્હી સરકાર દ્વારા સ્કૂલોના રૂમ બનાવવામાં 2000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. તિવારીએ એક આરટીઆઇનો હવાલો આપતા દાવો કર્યો હતો કે આપ સરકારે 2892 કરોડ રૂપિયાના ખર્ચે સ્કૂલોના 12,782 રૂમ્સનું નિર્માણ કરાવ્યું જ્યારે તેના માટે માત્ર 800 કરોડ રૂપિયાની જરૂર હતી.
ભાજપે દિલ્હીની આપ પાર્ટી પર શિક્ષણમાં કૌભાંડનો આરોપ લગાવ્યો છે. કૌભાંડમાં ભાજપે સીધો દિલ્હીના મુખ્યમંત્રી અરવિન્દ કેજરીવાલ અને ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાનો હાથ હોવાનું જણાવ્યું છે. દિલ્હીના ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું હતું કે, ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાએ જૂની સ્કુલોમાં નવા ક્લાસરૂપ બનાવ્યા, તેમા 2000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે.
એમણે બતાવ્યું કે, '300 સ્ક્વેર ફીટ ક્લાસ બનાવવામાં આવ્યા છે, જેના પર અમારા હિસાબે પ્રિત ક્લાસ 3-5 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. પરંતુ દિલ્હી સરકારે એક રૂમ બનાવવા માટે 25 લાખ રૂપિયા ફાળવ્યા હતા.'