કેન્દ્ર સરકારની સેનામાં ભરતીની નવી યોજના અગ્નિપથ યોજના વિરુદ્ધ દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે હવે આ બાબતને લઈને દિલ્હીના શિક્ષણમંત્રીએ પણ કટાક્ષ કર્યો છે.
મોદી સરકારી લાવી છે અગ્નિપથ યોજના
દેશભરમાં થઈ રહ્યો છે વિરોધ
દિલ્હીના શિક્ષણ મંત્રીએ કહી આ વાત
કેન્દ્ર સરકારની સેનામાં ભરતીની નવી યોજના અગ્નિપથ યોજના વિરુદ્ધ દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. બે દિવસથી ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ અને હરિયાણામાં સરકારની આ યોજના વિશે આ યોજના વિરુદ્ધ ભારે હોબાળો થઈ રહ્યો છે. કેટલીય જગ્યાઓ પર હિંસા પણ થઈ છે. જ્યાં ઘણી જગ્યાએ ટ્રેનો પણ ફુંકી દેવામાં આવી છે. તો આ યોજનાને લઈને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કટાક્ષ કર્યો છે.
મનીષ સિસોદીયાએ તેના પર ટ્વિટ કરતા લખ્યું છે કે- અગ્નિપથ યોજના જો એટલી જ સારી હોય તો, નિયમ બનાવી દો. દેશભરમાં દરેક MLA અને MPના બાળકો 17 વર્ષના થાય તો સૌથી પહેલા તેમના બાળકો ચાર વર્ષ માટે આ યોજનામાં નોકરી કરશે.
अग्निपथ योजना अगर इतनी ही अच्छी है तो नियम बना दो -
- देश भर में हर MLA और MP के बच्चे 17 साल के होते ही सबसे पहले इस योजना के तहत 4 साल की नौकरी करेंगे.
અહીં ઉલ્લેખનીય છે કે, શનિવારે અગ્નિપથ યોજના વિરુદ્ધ દેશવ્યાપી વિરોધને જોતા કેન્દ્રએ સીએપીએફ અને અસમ રાઈફલ્સની ભરતીમાં વય મર્યાદામાં સંશોધનની સાથે સાથે અગ્નિપથ માટે 10 ટકા અનિમાતની જાહેરાત કરી હતી.
આપને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલી અગ્નિપથ યોજનાને લઈને હિંસક વિરોધ પ્રદર્શનોની સાથે વિપક્ષે શુક્રવારે તેને તાત્કાલિક પાછી લેવાનું પ્રેશર નાખ્યું છે. તો વળી સત્તાવારી ભાજપ આ બાબતે ઝૂકવા તૈયાર નથી અને નવા નવા સંશોધન થકી આગળ વધી રહી છે.
જ્યારે કોંગ્રેસ આ યોજનાને લઈને તેને તાત્કાલિક પાછી ખેંચવાની વાત કહી રહી છે. કોંગ્રેસનું કહેવુ છે કે, આ યોજના ન તો દેશહીતમાં છે, ન તો સુરક્ષાની દ્રષ્ટિ ઠીક છે. ભાજપના સહયોગી જેડીયું તો પહેલાથી જ મોદી સરકારને આ મામલે અપીલ કરી છે.