ભારતીય ક્રિકેટ ટીમે બુધવારના બારાબતી સ્ટેડિયમમાં રમાયેલી પહેલી T-20 મેચમાં શ્રીલંકાની ટીમને 93 રનથી હરાવી દીધી. આ સાથે જ ભારત 3 T-20 મેચની સીરિઝમાં 1-0થી આગળ છે. ભારતે શ્રીલંકાની સામે જીત માટે 181 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શ્રીલંકન ટીમ સતત વિકેટ ગુમાવતી રહી અને 16 ઓવરમાં માત્ર 87 રનમાં જ ઑલઆઉટ થઇ ગઇ. પરંતુ આ મેચમાં એક એવો બૉલ ફેંકવામાં આવ્યો જેમાં ભારતીય ટીમના પ્લેયર મનીષ પાંડે 11 રન કરી લીધા.
વાસ્તવમાં શ્રીલંકન બૉલર નુવાન પ્રદીપે ઇનિંગની 19મી ઑવર નાખીતે સમયે ભારતીય પ્લેયર મહેન્દ્ર સિંહ ધોની અને મનીષ પાંડે તમામ બૉલ પર મોટા શૉટ મારવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ નુવાન પ્રદીપે ઑવરની 5 બૉલમાં માત્ર એક બાઉન્ડ્રી અને કેટલાક સિંગ્લસ જ આપ્યા હતા. જે પછી ઑવરની છેલ્લી બૉલર પર એવું થયુ જે ક્યારેય નુવાન પ્રદીપ નહી ભૂલી શકે. શરૂઆતના 5 બૉલમાં 10 રન આપનાર પ્રદીપે છેલ્લી બૉલ મનીષ પાંડેની કમરની ઉપરથી ફેંક્યોપાંડે આ દરમિયાન શાનદાર અંદાજમાં બેટિંગ કરી રહ્યો હતો. પાંડે આ બૉલ પર થર્ડ મેનની ડિરેક્શનમાં એક શાનદાર સિક્સર ફટકારીપરંતુ આ તો માત્ર ટ્રેલર જ હતુ ફિલ્મ બાકી હતી. અમ્પાયર પ્રદીપની આ બૉલને નો-બૉલ આપ્યોપછી શું આ ઑવરમાં પાંડે જીને વધુ એક મોટો શૉટ ફટકારવાનો ચાન્સ મલી ગયો. મનીષ પાંડેએ આ ચાન્સ ગુમાવ્યા વગર બાઉન્ડી ફટકારી દીધી. આ રીતે પાંડેએ એક જ બૉલમાં 11 રન કરી લીધા.
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે શ્રીલંકાને આ મેચમાં 93 રનથી હરાવ્યુ. ભારતે પહેલા બેટિંગ કરીને 20 ઑવરમાં 3 વિકેટ ગુમાવીને 180 રન કર્યા. જ્યારે ટાર્ગેટનો પીછો કરવા માટે આવેલી શ્રીલંકન ટીમે 16 ઑવરમાં માત્ર 87 રનમાં જ ઑલઆઉટ થઇ ગઇ. 4 વિકેટ લેનાચ યુજવેન્દ્રચ ચહલને મેન ઑફ ધ મેચનું ટાઇટલ આપવામાં આવ્યુ.