ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી સીરીઝ દરમિયાન મનીષ પાંડેએ એવી ચૂક કરી હતી કે જો અમ્પાયરની નજર પડી હોત તો આખી ટીમને સજા થઇ હોત અને ન્યુઝીલેન્ડના ખાતામાં 5 રન ઉમેરાઈ ગયા હોત.
ભારતે ન્યુઝીલેન્સ સામે જીત નોંધાવી
રાહુલ અને અય્યરની બેટિંગથી ભારતે લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો
મનીષ પાંડેએ કરી હતી ફેક ફિલ્ડીંગ
ભારતીય ટીમનાં એક ખેલાડીએ આ મેચમાં ખુબ મોટી ભૂલ કરી
વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડનાં ખેલાડીઓને ભોંય ભેગા કરી દીધા હતા. ન્યુઝીલેન્ડનાં પહાડ જેવા મોટા સ્કોરને પણ ભારતીય ટીમે હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમે 6 વિકેટથી જીત નોંધાવી. ગઈકાલની મેચમાં કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરે સારું પ્રદર્શન કર્યું અને બંનેની ધુંઆધાર બેટિંગનાં દમ પર ભારત મેચ જીત્યું. જોકે ભારતીય ટીમનાં એક ખેલાડીએ આ મેચમાં ખુબ મોટી ભૂલ કરી હતી. ટીમ આ મામલે લકી રહી કે અમ્પાયરનું ધ્યાન ન ગયું. જો આ ભૂલ માટે અમ્પાયરે સજા કરી હોત તો ન્યુઝીલેન્ડનાં ખાતામાં 5 રન જોડાઈ ગયા હોત.
20મી ઓવરમાં જસપ્રીત બુમરાહ બોલિંગ કરવા ઉતર્યા. તેમની પહેલી બોલમાં રોસ ટેલરે ડીપ મીડવિકેટ પર શોટ રમ્યો. જે બાદ રોસ ટેલરે એક રન લેવાનો પ્રયત્ન લાર્યો પરંતુ ત્યારે મનીષ પાંડેએ ફેક ફિલ્ડીંગ કરી. તેમના હાથમાં બોલ ન હતો છતાં બોલ ફેકવાની એક્ટિંગ કરી હતી. જોકે આ ઘટના પર અમ્પાયરની નજર પડી ન હતી. આ ભૂલ માટે નિયમ 41.5 અનુસાર ભારતને પેનલ્ટી લાગી શકે છે. ફેક ફિલ્ડીંગ કરવા બદલ ન્યુઝીલેન્ડના ખાતામાં પાંચ રન ઉમેરી દેવામાં આવ્યા હોત. ફેક ફિલ્ડીંગ માટે સૌથી પહેલી પેનલ્ટી માર્નસ લાબુશાને પર લગાવવામાં આવી હતી.
ભારતની ટીમ અત્યારે ખુબ સારું પ્રદર્શન કરી રહી છે. હાલમાં જ ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા સામે વન ડે સીરીઝ જીતી હતી. જે બાદ ન્યુઝીલેન્ડમાં પણ ભારતીય ટીમ જીતનાં ઈરાદા સાથે ઉતરી રહી છે. સીરીઝની પહેલી મેચ ભારતે જીતી લીધી છે.