મણિપુરમાં કોંગ્રેસના 8 ધારાસભ્ય બુધવારે ભાજપમાં સામેલ થઈ શકે છે
મણિપુર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અઘ્યક્ષ ગોવિંદદાસ કોન્થુજમે રાજીનામુ આપ્યું
કોંગ્રેસ માટે મોટું સંકટ
ગઠબંધનની પાસે કુલ 36 ધારાસભ્યો
મણિપુર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અઘ્યક્ષ ગોવિંદદાસ કોન્થુજમે રાજીનામુ આપ્યું
મણિપુરમાં પણ કોંગ્રેસ પર સંકટના વાદળા છવાયેલા છે. ત્યારે સમાચાર એજન્સી એએનઆઈ મુજબ મણિપુર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અઘ્યક્ષ ગોવિંદદાસ કોન્થુજમે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. જેને લઈને શક્યતાઓ સેવાઈ રહી છે કે કોંગ્રેસના 8 ધારાસભ્ય બુધવારે ભાજપમાં સામેલ થઈ શકે છે.
કોંગ્રેસ માટે મોટું સંકટ
કોન્થુજમ વિષ્ણુપુર સીટથી 6 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. કોન્થુંજમ ડિસેમ્બર 2020માં મણિપુર એકમના પ્રમુખ બનાયા ગયા હતા. આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી થવાની છે તેવામાં કોંગ્રેસ માટે મોટું સંકટ છે.
ગઠબંધનની પાસે કુલ 36 ધારાસભ્યો
2017માં પહેલી વાર ભાજપે મણિપુર વિધાનસભાની ચૂંટણી જીતી હતી. આ વખતે ભાજપે દાવો કર્યો હતો કે તે 60 સીટો જીતીને સત્તામાં બની રહેશે. ભાજપ એનપીપી, એનપીએફ અને 3 નિર્દલીયના સમર્થનથી ગઠબંધન સરકાર છે. ગઠબંધનની પાસે કુલ 36 ધારાસભ્યો છે. જો કે કોંગ્રેસ 2017ની ચૂંટણીમાં ભાજપથી વધારે સીટ મેળવામાં સફળ રહી હતી. કોંગ્રેસે 28 સીટો જીતી હતી. ત્યારે ભાજપે 21 સીટો જીતી હતી. એનપીએફ અને એનપીપીએ 4-4 સીટો પર જીત મેળવી હતી.
જાણો કોની પાસેકેટલા ધારાસભ્યો
વર્તમાન વિધાનસભામાં ભાજપની પાસે 25 સભ્ય છે અને કોંગ્રેસની પાસે 17 છે. એનપીપી અનેપીએફમાં 4-4 સભ્ય છે. તૃણમૂલ કોંગ્રેસની પાસે એક ધારાસભ્ય અને 3 નિર્દલીય ધારાસભ્ય છે. સદનમાં 4 સીટો ખાલી પડી છે.