મણિપુરમાં આર્મી કેમ્પ પાસે ભયંકર ભૂસ્ખલન થયું છે. અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. જેમાં સેનાના સાત જવાનો અને એક નાગરિકનો સમાવેશ થાય છે.
મણિપુરમાં સેનાના કેમ્પ પાસે ભૂસ્ખલન થયું
ભૂસ્ખલન બાદ સેનાના 7 જવાનો અને એક નાગરિકના મૃતદેહ મળી આવ્યા
રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ છે
તુપુલ રેલ્વે સ્ટેશન નજીક બની ઘટના
મણિપુરમાં સેનાના કેમ્પ પાસે ભૂસ્ખલન થયું છે. અત્યાર સુધીમાં આઠ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મણિપુરમાં નોની જિલ્લામાં ભૂસ્ખલનની ઘટના બની હતી. તુપુલ રેલ્વે સ્ટેશન નજીક ભારતીય સેનાની 107 ટેરિટોરિયલ આર્મીનો કેમ્પ હતો. લેન્ડ સ્લાઇડમાં તે સ્થાનને પણ નુકસાન પહોંચ્યું છે.
Noney, Manipur | Massive landslide triggered by incessant rains caused damage to Tupul station building of ongoing Jiribam – Imphal new line project. Landslide also stuck the track formation, camps of construction workers. Rescue operations in progress: NF Railway CPRO pic.twitter.com/5fzxzQcCki
ઘણા લોકો હજુ લાપતા
જાણકારી મુજબ ભૂસ્ખલન બાદ સેનાના 7 જવાનો અને એક નાગરિકના મૃતદેહ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં 13 પ્રાદેશિક સેનાના જવાનો અને 5 નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. ગુમ થયેલા લોકોને બચાવવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ પહેલા નોની જિલ્લાના એસડીઓ સોલોમન અલ ફિમેટે કહ્યું હતું કે 45 લોકો હજુ પણ લાપતા છે. આ પહેલા ટેરિટોરિયલ આર્મીએ તેમના બે જવાનોના મોતની જાણકારી આપી હતી. આ સાથે જ 20 લોકો ગુમ થયાના સમાચાર છે. એક બાળક સહિત પાંચ લોકો લાપતા હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું. આ સાથે રેલવે સ્ટાફમાંથી 6-7 લોકો પણ લાપતા છે. કુલ મળીને 45 લોકો લાપતા છે.
Spoke to Manipur CM Shri @NBirenSingh Ji and reviewed the situation due to a tragic landslide. Assured all possible support from the Centre. I pray for the safety of all those affected.
My thoughts are with the bereaved families. May the injured recover soon.
પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
પીએમ મોદીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને ટ્વિટ કરીને કહ્યું કે, તેમણે મણિપુરના મુખ્યમંત્રી સાથે આ ઘટના અંગે વાત કરી છે અને ભૂસ્ખલનથી ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરી છે અને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે. પીએમ મોદીએ કહ્યું કે મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. તેમણે ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના પણ કરી હતી.
Spoke to CM Shri @NBirenSingh and Shri @AshwiniVaishnaw in the wake of a landslide near the Tupul railway station in Manipur. Rescue operations are in full swing. A team of NDRF has already reached the spot and joined the rescue operations. 2 more teams are on their way to Tupul.
અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી
ગૃહમંત્રી અમિત શાહે આ ઘટના અંગે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ સાથે વાત કરી છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, "મણિપુરના તુપુલ રેલવે સ્ટેશન નજીક ભૂસ્ખલનના પગલે મુખ્યમંત્રી શ્રી એન. બિરેન સિંહ અને શ્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી છે. બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. વધુ 2 ટીમો તુપુલ જવાના રસ્તે છે."
Called an emergency meeting to assess the situation of the landslide in Tupul today. The search and rescue operation is already underway. Let’s keep them in our prayers today.
Ambulances along with doctors have also been dispatched to assist in the operation. pic.twitter.com/JZLLPsIZou
મુખ્યમંત્રી એન બિરેને ઇમરજન્સી બેઠક બોલાવી
ભૂસ્ખલન બાદ મણિપુરના સીએમ એન બિરેને તાત્કાલિક બેઠક બોલાવી છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, "ભૂસ્ખલનની સ્થિતિને ધ્યાનમાં રાખીને, એક તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે. શોધ અને બચાવ કામગીરી હજી ચાલુ છે. ચાલો આજે આપણે તેના માટે પ્રાર્થના કરીએ. ઓપરેશનમાં મદદ માટે ડોક્ટરોની સાથે એમ્બ્યુલન્સ પણ મોકલવામાં આવી છે.