કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને જોતા મણિપુર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે લૉકડાઉનનો સમયગાળો વધારીને 15 જૂલાઇ સુધી કરવામાં આવ્યો છે. આ અંગેની જાણકારી ખુદ મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહે આપી હતી.
મણિપુરમાં 1 જુલાઇથી 15 જુલાઇ સુધી લંબાવાયું લૉકડાઉન
કોરોનાના વધતા કેસને લઇને લેવાયો નિર્ણય
મણિપુરના CM એન. બિરેનસિંહે કરી જાહેરાત
મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે રાજ્યમાં 15 જુલાઈ સુધી લૉકડાઉન વધારવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે, અમે લૉકડાઉન આગામી 15 દિવસ એટલે કે 1 જુલાઈથી 15 જુલાઈ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.
We have decided to extend the lockdown in Manipur for another 15 days from 1st-15th July: State Chief Minister N Biren Singh pic.twitter.com/g17Gt63uZi
આ અગાઉ કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને જોતા ઝારખંડ સરકારે પણ લૉકડાઉન વધારવાનો નિર્ણય કર્યો હતો. ઝારખંડમાં લૉકડાઉનનો સમયગાળો વધારીને 31 જૂલાઇ સુધી કરવામાં આવ્યો છે. આ અંગે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વિટમાં લખ્યું હતું કે કોરોના સાથેના સંઘર્ષમાં આપ સૌના સમર્થનથી આપણને અત્યાર સુધીની અપેક્ષિત સફળતા મળી છે, પરંતુ સંઘર્ષ હજી ચાલુ છે. પરિસ્થિતિની ગંભીરતા જોતાં રાજ્ય સરકારે લોકડાઉન 31 જુલાઇ સુધી લંબાવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ માહિતી આપી હતી કે 22 માર્ચે રાજ્ય સરકારે લોકડાઉન લાદ્યા પછી, લોકડાઉન સમયે સમયે આપવામાં આવતી રાહતો ચાલુ રહેશે.
कोरोना से संघर्ष में हमें आप सबके सहयोग से अब तक हमें अपेक्षित सफलता मिली है, पर संघर्ष अभी जारी है।
स्थिति की गम्भीरता को देखते हुए राज्य सरकार ने लॉकडाउन 31 जुलाई तक बढ़ाने का फ़ैसला लिया है।
— Hemant Soren (घर में रहें - सुरक्षित रहें) (@HemantSorenJMM) June 26, 2020
અસમના ગુવાહાટીમાં સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું
અસમનાં ગુવાહાટીમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ લોકડાઉન 12 જુલાઈ સુધી રહેશે. કોરોના વાયરસના કહેરના કારણે ગુવાહાટીમાં ફરીવાર સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારે રવિવારની મધ્યરાત્રીથી આખા શહેરને સંપૂર્ણ લોકડાઉન કરી દેવાનો નિર્ણય લીધો છે. આ લોકડાઉન 12 જુલાઈ સુધી ચાલશે