મણિપુરમાં મંગળવારે મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યું મણિપુર
4.7ના ભૂકંપ આવતા સ્થાનિકો દોડી આવ્યા ઘરની બહાર
ગઈકાલે મિઝોરમમાં આવ્યો હતો આંચકો
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ ભૂકંપ મણિપુરના ઉખરુલ વિસ્તારમાં રાત્રે 9.02 વાગ્યે આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં આ બીજી વખત છે જ્યારે ઉત્તર-પૂર્વના કોઈપણ રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
ગઈલાકે રાતે મિઝોરમમાં આવ્યો હતો આંચકો
આ પહેલા સોમવારે રાત્રે 9.18 કલાકે મિઝોરમના થેનઝાવલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં ભૂકંપની તીવ્રતા 4.4 આંકવામાં આવી હતી. 11 ઓગસ્ટના રોજ, મેઘાલયમાં અને જુલાઈમાં પણ આ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
21 જુલાઈના દિવસે રાજસ્થાનમાં આંચકા
રાજસ્થાનમાં બીકાનેર 21 જુલાઈના દિવસે સવારે 5: 25 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકાથી હચમચી ઉઠયું હતું. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું કે, જ્યારે લોકો ઊંઘમાં હતા ત્યારે તેમને ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, અચાનક ભૂકંપ અનુભવાતા સ્થાનિકોના જીવ તાળવો ચોંટ્યા હતા અને તેઓ ઘરની બહાર દોડી આવ્યા હતા.
ભૂંકપના આંચકા આવે ત્યારે શું?
ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે. આવામાં આજના EK Vaat Kau વીડિયોમાં સરળ ભાષામાં સમજો કે આખરે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે?