મણિપુરની સરકારે મ્યાનમારથી આવનારા લોકોની એન્ટ્રી પર બેન લગાવવાનો આદેશ આપ્યો છે. સરકારે આદેશ આપ્યા કે, ન શરણાર્થી શિબિર લગાવાશે કે ન ભોજન-પાણી આપવામાં આવશે.
5 જિલ્લાના કમિશ્નરને ચિઠ્ઠી લખવામાં આવી છે
મ્યાનમારથી આવનારા લોકોની એન્ટ્રી પર બેન લગાવવાનો આદેશ
શરણાર્થીઓ માટે રાહત શિબિર બનાવે તથા ન ખાવા પીવાની વ્યવસ્થા કરે
5 જિલ્લાના કમિશ્નરને ચિઠ્ઠી લખવામાં આવી છે
મણિપુરની સરકારે મ્યાનમારથી આવનારા લોકોની એન્ટ્રી પર બેન લગાવવાનો આદેશ આપ્યો છે. આ આદેશને લઈને 5 જિલ્લાના કમિશ્નરને ચિઠ્ઠી લખવામાં આવી છે. આ તમામ જિલ્લા મણિપુરની બોર્ડર સાથે જોડાયેલા છે. સરકારે કહ્યું કે ફક્ત માનવીય અથવા પછી મેડિકલની જરુરિયાતના આધાર પર જ લોકોને ભારતમાં આવવા દેવામાં આવશે. સરકારને ડર છે કે તે નાગરિક ભારતમાં શરણાર્થી બનીને ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી શકે છે.
શરણાર્થીઓ માટે રાહત શિબિર બનાવે તથા ન ખાવા-પીવાની વ્યવસ્થા કરે
મણિપુરના ગૃહ સચિવ એચ જ્ઞાન પ્રકાશ તરફથી આના પર એક ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે સેન્ય સત્તાપલટ બાદ મ્યાનમારના નાગરિકો ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં જિલ્લાને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે તેમને દેશમાં ઘૂસવા ન દે. શરણાર્થીઓ માટે રાહત શિબિર બનાવે તથા ન ખાવા પીવાની વ્યવસ્થા કરે. તે શરણ માંગવા આવે તો તેને હાથ પગ જોડી પાછા મોકલી દેવામાં આવે. તમામ જિલ્લા પાસેથી રિપોર્ટ માંગવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારત અને મ્યાનમારની વચ્ચે લગભગ 1643 કિલોમીટરની બોર્ડર છે.
શરણાર્થીઓની સંખ્યા 1000ને પાર
મિજોરમના અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે મ્યાનમારમાં ફેબ્રુઆરીમાં થયેલા સૈન્ય સત્તાપલટા બાદથી ત્યાંથી રાજ્યમાં આવનારા શરણાર્થીઓની સંખ્યા 1હજાર કરી દેવામાં આવી છે. અત્યાર સુધી ઓછામાં ઓછા 100 લોકોએ તેમના દેશમાં પાછા મોકલી દેવાયા છે. પરંતુ તે છુપાઈને પાછા ભારતની સીમામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ મોટાભાગના લોકો બોર્ડરના ગામમાં રહી રહ્યા છે અને સ્થાનીક એનજીઓ તેમને મદદ કરી રહી છે. કેટલાક લોકો પોતાના સંબંધીઓની પાસે રહી રહ્યા છે.
ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ
શુક્રવારે મોરે તામૂ બોર્ડર પર મોટી સંખ્યામાં મ્યાનમારના નાગરિકોએ ભારતની સીમામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. જેમાં મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓ પણ હતા. જો કે સુરક્ષાકર્મીઓએ તેમને આવવા નહોંતા દીધા. મીડિયા રિપોર્ટ મુજબ ગોળી વાગવાના કારણે 3 નાગરિકો ભારતની સીમામાં મદદ માટે પહોંચ્યા હતા. હાલમાં ત્રણેયની સારવાર મણિપુરમાં ચાલી રહી છે.