કોંગ્રેસ નેતા મણિશંકર અય્યર સોમવાર સાંજથી ખૂબ ચર્ચામાં આવ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ છે. કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હૈંડલ પર અપલોડ કરવામાં આવેલી તસ્વીરો. ખાસ વાત એ છે કે, અય્યરના તમામ ફોટાઓ કોઈ પણ પ્રકારના શિર્ષક વગર શેર કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના ટ્વિટર હૈંડલ પર મણિશંકર અય્યરની તસ્વીરો શેર કરાઈ
સોશિયલ મીડિયા પર યુઝર્સ પૂછી રહ્યા છે અનેક સવાલો
તસ્વીરો શેર કરવા પાછળનું કારણ હજૂ સુધી અકબંધ
કોંગ્રેસ નેતા મણિશંકર અય્યર સોમવાર સાંજથી ખૂબ ચર્ચામાં આવ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ છે. કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હૈંડલ પર અપલોડ કરવામાં આવેલી તસ્વીરો. ખાસ વાત એ છે કે, અય્યરના તમામ ફોટાઓ કોઈ પણ પ્રકારના શિર્ષક વગર શેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના આ પ્રકારના ખાસ રણનીતિને લઈને સોશિયલ મીડિયા પર લોકો ચિત્ર વિચિત્ર વાતો કરી રહ્યા છે .
કોંગ્રેસ પાર્ટીના ટ્વિટર હૈંડલ પર મણિશંકર અય્યરની તસ્વીરો
હકીકતમાં સોમવાર સાંજે પ્રધાનમંત્રી મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણને લઈને ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ સદનમાં કોંગ્રેસ પાર્ટી પર આકરાં પ્રહારો પણ કર્યા હતા. પોતાના ભાષણમાં પીએમ મોદીએ ટુકડે ટુકડે ગેંગના લીડર પણ કહી દીધા હતા.
તેના થોડા કલાક બાદ ઉત્તર પ્રદેશ કોંગ્રેસે પોતાના સત્તાવાર ટ્વિટર હૈંડલ પર મણિશંકર અય્યરની તસ્વીર કોઈ પણ કેપ્શન વગર શેર કરી હતી. તેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સને લાગ્યું કે, કદાચ કોંગ્રેસનું ટ્વિટર અકાઉન્ટ કોઈએ હૈક કરી લીધું છે. પણ થોડાક કલાક બાદ તો છત્તીસગઢ, તેલંગણા અને રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સેવા દળના પોતાના વરિષ્ઠ નેતાની અલગ અલગ તસ્વીરો શેર કરવા લાગ્યા હતાં.
કોંગ્રેસે જે રીતે આ નવું તિકડમ અપનાવ્યુ છે, તેને લઈને સોશિયલ મીડિયા ગોથે ચડ્યું છે. મણિશંકર અય્યરની કેપ્શન વગરની તસ્વીરોના કમેન્ટ બોક્સમાં અમુક યુઝર્સ જાણ્યા જોયા વગર શોક સંદેશ લખી રહ્યા છે, તો અન્ય યુઝર્સ કોંગ્રેસને આ પ્રકારનો ફોટો અપલોડ કરવા પાછળનું કારણ પણ પૂછી રહ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ વિવાદીત નિવેદન આપ્યા બાદ અય્યરને 2017માં કોંગ્રેસ પાર્ટીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. જો કે, અય્યરનું સસ્પેન્શન કોંગ્રેસ પાર્ટીએ 9 મ હિના બાદ એટલે કે 2018ના ઓગસ્ટમાં રદ કરી દીધું હતું.