લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન પહેલા મણીશંકર અય્યરે ફરી કોંગ્રેસને ચિંતામાં મુકી દીધી છે અને કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી મુદ્દે પોતે પહેલા આપેલા નિવેદન પર આજે પણ કાયમ છે. જેને લઈને ભારે માહોલ ગરમાયો છે. ત્યારે માહોલ ગરમાતા શું કહ્યું અય્યરે તે ખરેખર જાણવા જેવું છે.
મણિશકંરના આ જ નિવેદન બાદ ભારે રાજકારણ ગરમાયું હતું અને કોંગ્રેસે તેને પાર્ટીમાંથી હાંકી પણ કાઢ્યા હતા. પરંતુ ફરી એકવાર પોતાના એ જ જુના અને જાણિતા વિવાદીત નિવેદન પર પોતે કાયમ હોવાનું કહી નવો વિવાદ જગાડ્યો છે.
આ નિવેદન અય્યરે રાઈઝિંગ કાશ્મીરમાં લખેલા આર્ટિકલમાં ટાંક્યું છે. જોકે આ નિવેદનને લઈને ભારે ધમાસાણ મચ્યું છે. ભાજપ કોંગ્રેસ પર માછલા ધોઈ રહ્યું છે. ત્યારે અય્યરને પોતાના આ નિવેદન પર સ્પષ્ટતા પણ કરવી પડી છે.
મહત્વનું છે કે, મણિશંકર અય્યરનું આ નિવેદન એવા એવા સમયે આવ્યું છે જ્યારે લોકસભા ચૂંટણીના અંચિમ તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું. એટલે કે, ભાજપને કોંગ્રેસને ઘેરવાનો ભાવતો મુદ્દો મળી ગયો છે.
Congress leader Mani Shankar Aiyar said that he stands by his 'neech aadmi' jibe against Narendra Modi and termed his Dec 2017 remark about the Prime Minister as "prophetic".
અય્યરનો આ બફાટ કોંગ્રેસ માટે નુકસાન કારક સાબિત થઈ શકે છે. જોકે કોંગ્રેસનું આ મુદ્દે કહેવું છે કે, મણિશંકર અય્યરનું આ અંગત નિવેદન છે.જેની સાથે કોંગ્રેસને કોઈ લેવાદેવા નથી. પરંતુ અહીં અંગત સ્વાર્થની રાજનીતિ માટે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ બાજી તો થવાની જ છે.