અમદાવાદમાં કેરીનું આગમન તો થઇ ચૂક્યું છે પરંતુ આ કેરી કઈ રીતે પકવાય છે તે તમે જાણો છો? પહેલા બજારમાં આવેલી કેરીઓ કાર્બાઇડથી પાકવવામાં આવતી હતી. જ્યા હવે તે ઇથોલીનથી પાકવામાં આવી રહી છે.
ઉનાળો આવતા જ લોકો ફળોનો રાજા કેરીની જયાફત માણવા આતુર હોય છે. પરંતુ બજારમાં આવતાની સાથે જ આ ફળના રાજા સાથે ચેડાં થતા હોય છે. કેરીને પકવવા માટે કાર્બાઇડનો કેટલાક વેપારીઓ ઉપયોગ કરતા હોય છે. જ્યારે હવે ફ્રૂટ માર્કેટમાં કેરીને ચાઈનાના ઇથોલીનથી પકવામાં આવી રહી છે. ઇથોલીન ચાઈનાથી ઈમ્પોર્ટ થઇ ભારત આવે છે અને ખાસ કેરી પકવવા માટે સરકાર દ્વારા તેની મંજૂરી પણ આપવામાં આવી છે.
કાર્બાઇડથી પકવેલી કેરી લોકોને નુકશાન પહોંચાડે છે. ત્યારે ચાઈના ઇથોલીનને પાણીમાં પલાળી કેરીના બોક્ષમાં મુકવામાં આવે છે. જેથી ઇથોલીન ગેસના ગરમાવોને કારણે કેરી બેથી ત્રણ દિવસમાં પાકી જાય છે જે લોકોના સ્વાસ્થ્યમાં નુકશાનકારક નથી.
હાઈકોર્ટે સરકાર અને AMCની કાઢી ઝાટકણી
ઉનાળો આવતા જ કેરીની સીઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજ્યમાં મોટાભાગના વેપારીઓ દ્વારા કાર્બાઈડથી કેરીઓ પકવવામાં આવે છે. ત્યારબાદ વેચાણ કરવામાં આવે છે. જેને લઈને હાઈકોર્ટે સરકાર અને AMCની ઝાટકણી કાઢી હતી. જેમાં હાઈકોર્ટે તંત્ર શા માટે પગલા લેતુ નથી? તો તંત્ર દ્વારા શા માટે સુઓમોટો કાર્યવાહી બાદ જ પગલા લેવાય છે? તેમજ અત્યાર સુધીમાં ક્યાં ક્યાં દરોડાની કાર્યવાહી થઈ છે. કેટલા સ્ટોરેજની ચકાસણી કરવામાં આવી છે. જે મુદ્દે જવાબ રજૂ કરવા માટે હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો હતો.