બિહારમાં ચમકી તાવમાં 152થી વધુ બાળકોનાં મોત થયા છે. તો બીજી તરફ, સરકાર કેરી અન પ્લાન્ટની વહેચણી કરી રહી છે. ત્યારે આરજેડીના નેતા રાબડી દેવીએ કેન્દ્રની મોદી સરકાર અને રાજયની નીતિશ કુમારની સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. રાબડીએ દેવીએ કહ્યું કે, હોસ્પિટલમાં ડોક્ટરો અને નર્સનો અભાવ છે.
Patna: Mangoes & mango saplings distributed at Bihar assembly; Bihar Minister Shyam Rajak says, "the environment is in danger these days. Mango saplings are a way to ask people to plant more trees so that the problem can be solved." pic.twitter.com/WfuE3Txx0d
તેમણે વધુમાં કહ્યું કે બાળકો મરી રહ્યા છે અને સરકાર કેરી વેચી રહી છે. સરકારને શરમ આવવી જોઈએ. તો રાબડી દેવીએ સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેના તાત્કાલિક રાજીનામાની પણ માગ કરી છે. ચાલુ વર્ષે ઉનાળામાં બિહારના મુઝફ્ફરપુરમાં ચમકી તાવે માથુ ઉચક્યુ હતુ.
ચમકી તાવના ભરડામાં આવતા 152થી પણ વધુ બાળકોનાં મોત થયા છે. તો લૂ લાગવાથી 45થી પણ વધુ લોકોનાં મોત થયા છે. ત્યારે રાબડી દેવીએ કેન્દ્ર અને રાજ્ય સરકારને આડે હાથ લીધી.