જો તમે યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે કેરીનું સેવન કરો છો તો તમારું વજન ક્યારેય વધતું નથી.
ઉનાળામાં ખાસ કરીને લોકો કેરીનો શોખ રાખે છે
કેરીનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરાય છે તો વજન વધતું નથીઃ એક્સપર્ટ્સ
કેરીમાં અનેક વિટામિન્સ અને પોષક તત્વો હોય છે
મોટાભાગના લોકો પોતાની ભૂખને શાંત કરવા માટે અનેક પ્રકારના ફ્રૂટ્સનું સેવન કરે છે. એવામાં ફ્રૂટ્સને એક સારો ઓપ્શન પણ કહેવામાં આવે છે. ગરમીની સીઝનમાં લોકો કેરી ખાવાનું પસંદ કરે છે. કેરી એક એવું ફ્રૂટ છે જે બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો પસંદ કરે છે. અનેક વાર લોકોનું માનવું હોય છે કે કેરી ખાવાથી તેમનું વજન વધવા લાગે છે અને તેઓ તેને ખાવાનું છોડી દે છે.
કેરીમાંથી મળે છે આ તત્વો
ન્યૂટ્રિશનિસ્ટના જણાવ્યા અનુસાર કેરીમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાં વિટામીન એ, વિટામીન સી, કોપર, ફોલેટ વગેરે હોય છે. તેમાં એક ટકા ફેટ હોય છે. આ સિવાય પ્રોટીન અને ફાઈબર પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જેનાથી તમારું પાચનતંત્ર સારું રહે છે. તેમાં ડાયટરી ફાઈબર છે જે હાર્ટ ડિસિઝ અને ટાઈપ 2 ડાયાબિટીજના ખતરાને ઓછું કરે છે.
શું કેરી ખાવાથી વજન વધે છે
જો તમે રોજ કેરીનો રસ, મિલ્કશેક, જ્યૂસ, મેંગો ક્રીમ, આઈસક્રીમ અને મેંગો પાઈનો ઉપયોગ કરો છો તો તમારું વન વધી શકે છે. એક કેરીમાં લગભગ 150 કેલેરી હોય છે. તમે જરૂરિયાત કરતા વધારે કેલેરી ખાઓ છો તો તમારું વજન વધી શકે છે. આ માટે ખાવાનું ખાઈ લીધા બાદ કેરી ખાવી નહીં. તે તમારું વજન વધારી શકે છે. તમે સવારે કે સાંજના સમયે તેને નાસ્તાના ભાગરૂપે ખાઈ શકો છો. તેનાથી તમારું વજન વધતું નથી.
કેરી ખાવાના ફાયદા
હ્રદયના દર્દીઓને માટે કરશે ફાયદો
કેરીમાં ફાઈબર અને વિટામીન સીનું પ્રમાણ ભરપૂર હોય છે. તેમાં અનેક વિટામિન, મિનરલ્સ અને એન્જાઈમ હોય છે જે હ્રદરોગના ખતરાને ઘટાડે છે. ફાઈબરનું ભરપૂર પ્રમાણ હોવાના કારણે ડાઈજેશનને પણ મજબૂત કરે છે.
વજન ઘટાડે છે
કેરીમાં ફેનોલિક કમ્પાઉન્ડ હોય છે જે શરીરના સોજા અને ઘાને સાજા કરવામાં મદદ કરે છે. આ સિવાય વેટ લોસમાં પણ તે હેલ્પ કરે છે.
આંખો માટે રહે છે સારું
કેરીમાં જીક્સેન્થિન અને કૈરોટિન હોય છે જે આંખ અને સ્કીનને માટે ફાયદો કરે છે. તેમાં રહેલા એન્જાઈમ સ્કીન એજિંગની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે.