શ્રાવણ માસમાં સોમવારની જેમ મંગળવારનું વ્રત પણ ખુબ ફળદાયી છે. મહિલાઓ પોતાના પતિના સૌભાગ્યની આકાક્ષા માટે આ વ્રતને કરે છે.
શિવ સંગ મેળવો પાર્વતીનો આશીર્વાદ
સોમવારે વ્રતથી જ્યાં ભગવાન શિવને પ્રસન્ન કરીને કૃપા પ્રાપ્ત કરી શકાય છે ત્યારે મંગળવારે વ્રત કરીને તેમનું અર્દ્ધ આસન ગ્રહણ કરનારી મા ગૌરી પાસેથી સૌભાગ્યનું વરદાન મેળવવા માટે કરવામાં આવે છે. મનુષ્યના જીવનને મંગળમય બનાવતા માતા ગૌરી મા પાર્વતીનું જ એક નામ છે.
આમ કરો માતા મંગળા ગૌરીનું પૂજન
માતા મંગળા ગૌરીના વ્રતમાં ભગવતીનું પૂજન કરવા માટે સ્નાન કર્યા બાદ એક થાપણ પર નવગ્રહ અને બીજા થાપણ પર ષોડશ માતૃકાને સ્થાપિત કરો. સાથે ચોખા તેમજ ફુલ રાખીને શ્રી ગણેશજીની સ્થાપના કરો. થાપણ નજીક કળશ સ્થાપિત કરો લોટનો ચારમુખો દીપક બનાવીને પ્રગટાવો. ત્યાર બાદ મંગળા ગૌરીની માટીની પ્રતિમાં બનાવીને વિધિ-વિધાનથી પૂજા કરો.
શ્રાવણ માસના મંગળવારથી પ્રારંભ કરીને આ વ્રતને 16 મંગળ કરવાનું વિધાન છે. માં મંગળા ગૌરી ના પૂજનમાં 16નું વિશેષ મહત્વ છે કેમકે તેમાં 16 માતાજીના સ્વરૂપની પૂજા કરવામા આવે છે. માતાને 16 વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે જેમાં 16 પ્રકારના ફુલ 16 પ્રકારના વૃક્ષોના પત્તા 16 માળાઓ 16 પ્રકારના કે સંખ્યામાં ફળ 16 જગ્યાએ પંચમેવા અનાજ મિઠાઈ જીરુ ધાણાજીરુ પાન સોપારી લોંગ ઈલાઈચી મહેન્દી કાજલ અને સુહાગની ડબ્બી વિશેષ રૂપથી ચઢાવવામાં આવે છે.