Mangal Asta 2023: ગ્રહોના સેનાપતિ મંગળ ગ્રહ કન્યા રાશિમાં અસ્ત થયા છે. મંગળ દોષપૂર્ણ થવા પર અલગ અલગ પ્રકારના કષ્ટ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અસ્ત અવસ્થા વખતે ગ્રહ ખૂબ જ કમજોર અને શક્તિહીન હોય છે.
'ગ્રહોનો સેનાપતિ' મંગળ કન્યા રાશિમાં અસ્ત
કર્ક રાશિના જાતકોએ સંભાળવું
જીવનમાં આવી શકે છે તબાહીનો યોગ
જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને નવગ્રહોમાં સૌથી મોટો ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. મંગળ ગ્રહ દરેક ગ્રહોનો સેનાપતિ છે. મંગળ ગ્રહને મંગળકર્તા, દુખહર્તા, ઋણહર્તા અને કલ્યાણકારી કહેવામાં આવે છે. મંગળ દોષપૂર્ણ થવા પર અલગ અલગ પ્રકારના કષ્ટ આવે છે.
મંગળ કન્યા રાશિમાં અસ્ત થઈ ચુક્યો છે. મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરતા 24 સપ્ટેમ્બરે સાંજે 5.56 વાગ્યે પશ્ચિમ દિશામાં અસ્ત થઈ ગયો છે. હવે મંગળ ગ્રહ નવા વર્ષે 17 જાન્યુઆરી 2024એ સવારે 4.17 મિનિટ પર પૂર્વમાં ઉદય થશે. મંગળ ગ્રહના અસ્ત થવાનો સીધો પ્રભાવ પૃથ્વી પર પડશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આતંરિક કલેશ, આતંકવાદ અને અરાજકતામાં વૃદ્ધિ થશે.
મંગળ જમીન અને અગ્નિનો પણ કારક
મંગળ ગ્રહ શારીરિક ઉર્જા, આત્મવિશ્વાસ, અહંકાર, તાકાત, ક્રોધ, આવેગ, વીરતા અને સાહસિક પ્રકૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. જો જન્મ કુંડળીમાં મંગળ ગ્રહ નીચે હોય છે તો વ્યક્તિને દુર્ઘટનાનો ખતરો રહે છે.
તેની સાથે જ આકસ્મિક દુર્ઘટના થઈ શકે છે. ગંભીર ઈજા પહોંચી શકે છે. ત્યાં જ જ્યારે મંગળ ઉચ્ચ અવસ્થામાં હોય છે તો મનુષ્ય ઉચ્ચ કોટીનો સર્જન, સેનામાં મેજર, મોટા જાસૂસ અને મોટા અધિકારી બની શકે છે. મંગળ જમીન અને અગ્નિનું પણ કારક છે. માટે તેનાથી જેની કુંડળીમાં મંગળ સારો હોય છે તેની પાસે મોટું રેસ્ટોરન્ટ, હોટલ અને જમીન અને પૈસા હોય છે.
મંગળનો પ્રભાવ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બધા નવ ગ્રહો સમય સમય પર અસ્ત અને ઉદય થાય છે. જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. ગ્રહોના સેનાપતિ મંગળ ગ્રહ 24 સપ્ટેમ્બર 2023એ સાંજે કન્યા રાશિમાં અસ્ત થઈ ચુક્યો છે.
મંગળ ગ્રહના અસ્ત થવાથી ત્રણ રાશિઓ પર તેનો ભયાનક પ્રભાવ પડે છે. માનવામાં આવી રહ્યું છે કે અસ્ત અવસ્થા વખતે ગ્રહ ખૂબ જ કમજોર અને શક્તિહીન થઈ જાય છે. આવો જાણીએ આખરે આ રાશિઓ કઈ કઈ છે. જેમને મંગળ ગ્રહના નકારાત્મક પ્રભાવનો સામનો કરવો પડશે.
મેષ
મેષ રાશિના જાતકો માટે મંગળ ગ્રહનું અસ્ત થવું ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે તમારી રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. ત્યાં જ મંગળ ગ્રહ આયુનો સ્વામી છે. તેની સાથે જ તે છઠ્ઠા ભાવમાં અસ્ત થયો છે. એવામાં તમને ઘણી સમસ્યાઓ આવી શકે છે.
તમારા પગમાં ગંભીર સમસ્યા આવી શકે છે. માટે આ સમયે તમારે શત્રુઓથી સાવધાન રહેવું જોઈએ. આ સમયગાળામાં તમને ઈજા પહોંચી શકે છે. કોઈ દુર્ઘટના પણ થઈ શકે છે.
ઉપાય
મંગળ ગ્રહના પ્રભાવથી બચવા માટે દરરોજ સૂર્ય દેવને જળ અર્પિત કરો. તેની સાથે જ સૂર્ય દેવના મંત્રોનો જાપ કરો. ત્યાં જ તાંબા કે ચાંદીની ધાતુમાં મૂંગા રત્ન પહેરી શકો છો.
કર્ક
ગ્રહોના સેનાપતિ મંગળનું અસ્ત થવું કર્ક રાશિના જાતકો માટે જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. કારણ કે તમારી ગોચર કુંડળીમાં મંગળ કરિયરના સ્વામી થઈને અસ્ત થઈ રહ્યા છે. માટે આ સમયે તમારી નોકરી જઈ શકે છે અથવા કાર્યસ્થળ પર તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
ત્યાં જ સંતાન પક્ષથી કોઈ અશુભ સમાચાર આવી શકે છે. તેની સાથે જ આ સમયે વ્યાપારીઓની આવક ઓછી થશે. નોકરીમાં તમારા સિનિયર સાથે ખટપટ થઈ શકે છે.
ઉપાય
તમારે મંગળ ગ્રહના પ્રકોપથી બચવા માટે મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવાની સાથે જ હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
કન્યા
કન્યા રાશિના જાતકો માટે મંગળ ગ્રહનું અસ્ત થવું પ્રતિકુળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે તમારી રાશિમાં મંગળ ગ્રહ આયુના સ્વામી છે. ત્યાં જ ત્રીજા ભાવના સ્વામી છે. માટે આ સમયે તમારૂ સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.
ત્યાં જ 6 ઓક્ટોબરથી મુશ્કેલીઓ વધી શકે છે. ત્યાં જ આ સમયે તમને લોહી સાથે સંબંધિ કોઈ મુશ્કેલીઓ થઈ શકે છે. તેની સાથે જ તમારો કોઈ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. માટે તમને ક્રોધથી બચવું જોઈએ. કોઈ સાથે વાત કરતી વખતે પોતાની વાણીમાં મધુરતા લાવવી જરૂરી છે.
ઉપાય
તમને મંગળ ગ્રહના પ્રભાવતી બચવા માટે સૂર્યના મંત્રોનો જાપ કરવા જોઈએ. તેની સાથે જ સૂર્ય દેવને જળ અર્પિત કરવું જોઈએ.