મધ્યપ્રદેશના મંદસૌરમાં બાળકી સાથે દુષ્કર્મની ચકચાર જગાડનાર ઘટનાના બન્ને ગુનેગારોને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. ગત 26 જૂને સાંજે સાડા પાંચ વાગે આઠ વર્ષીય બાળકીનું અપહરણ કરીને આસિફ અને ઈરફાન નામના આ નરાધમો બાળકીને જંગલ વિસ્તારમાં લઈ ગયા હતા. જ્યાં તેની સાથે દુષ્કર્મ કરીને ગળે છરી વડે હુમલો કર્યો અને બાળકીને મૃત સમજીને ત્યાથી ફરાર થયા હતા.
જોકે ઘટનાના બીજા દિવસે બાળકી તડફડિયા મારતી જંગલની બહાર આવી હતી. પોલીસ દ્વારા બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીની હાલત ગંભીર હોવાથી તેને ઈંદોર રીફર કરવામાં આવી.
ઘટનાના બે મહિના બાદ પણ આજે બાળકી ઈંદોરમાં સારવાર હેઠળ છે. મહત્વનું છે કે આ મામલે 12 જુલાઈના રોજ અદાલતમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. અદાલતે આ મામલે ખૂબ ઝડપથી ન્યાયીક પ્રક્રિયા હાથ ધરીને એક મહિના જેટલા સમયગાળામાં જ પીડિતાને ન્યાય અપાવ્યો છે.
આપને જણાવી દઇએ કે દેશમાં દિવસેને દિવસ બાળકીઓ અને મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ વધી રહી છે ત્યારે આવી ઘટનાને અટકાવવા માટે કાયદો અને વ્યવસ્થાએ પણ કડક પગલા લેવા તે સ્વભાવિક ત્યારે આજરોજ મધ્યપ્રદેશના મંદસૌરમાં બાળકીઓ સાથે આચરવામાં આવેલ દુષ્કર્મની ઘટનાના 2 ગુનેગારોને ફાંસીના માચડે ચડાવવાનો ચૂકાદો આવતા તેને વધાવી લેવામાં આવ્યો હતો અને આ ચૂકાદાને લીધે માસૂમોને ન્યાય મળ્યો તેવી વાતો લોક મુખે ચર્ચાઇ હતી.