પંજાબનું મુસ્લિમ બહુલ શહેર માલેરકોટલા હિંદુ-મુસ્લિમ એકતાની એક અનોખી મિશાલ રજૂ કરે છે. અહીં પર મંદિર અને મસ્જિદની વચ્ચે એક જ દિવાલ છે. દીવાલની આ બાજુ મંદિર છે તો બીજી બાજુ મસ્જિદ. જ્યારે શહેરનાં મંદિરમાં આરતી થાય છે તો તેનાં માટે મસ્જિદની અજાન રોકાઇ જાય છે.
એક મુસ્લિમ વ્યક્તિ હનુમાન મંદિરની બહાર પ્રસાદ વેચે છે અને એક બ્રાહ્મણનાં સ્વામિત્વવાળી પ્રેસ રમજાનને માટે ગ્રીટિંગ કાર્ડ છાપે છે. મૌલાના અને પુજારી ચૂંટણીની મોસમમાં શહેરમાં રાજનીતિક હલચલથી બેફિક્ર થઇને પ્રેમ અને ભાઇચારાનાં કિસ્સાઓ સંભળાવે છે.
આ શહેરમાં અંદરોઅંદર જ ભાઇચારાની આ એક મિસાલ છે કે જ્યાં મસ્જિદનાં મૌલાના મંદિરનાં પીડિતનું અભિવાદન રામ-રામ કહીને કરે છે. સંગરૂરમાં મલેરકોટલાનાં સોમસોન કૉલોનીમાં લક્ષ્મીનારાયણ મંદિર અને અક્સા મસ્જિદ નવ ઇંચની એક જ દીવાલથી જોડાયેલ છે. આ મંદિર ત્રણ વર્ષ જૂનું અને મસ્જિદ 60 વર્ષ જૂની છે.
લક્ષ્મીનારાયણ મંદિરમાં પૂજારી ચેતન શર્મા દ્વારા શિવલિંગ પર ચઢાવવામાં આવતી પત્તાઓ અક્સા મસ્જિદ પરિસરમાં સ્થિત બેલનાં વૃક્ષથી લાવવામાં આવે છે. દિવાળી અને ઇદ પર અહીં ન તો માત્ર અંદરોઅંદર મિઠાઇનું આદાન-પ્રદાન થાય છે પરંતુ મંદિર એ પણ સુનિશ્ચિત કરે છે કે રમજાન દરમ્યાન લોકોને કોઇ જ પરેશાની ના થાય.
આ સ્થાન પરફેક્ટ અયોધ્યા જેવું જ છે, પરંતુ એક શાંત જગ્યા છે. મૌલાના મોહમ્મદ હાસિમનું કહેવું એમ છે કે મસ્જિદ પ્રશાસનથી મંદિરનાં નિર્માણને માટે વિજળી અને પાણી ઉપલબ્ધ કરાવી હતી અને આનાં ઉદ્ઘાટન પર મિઠાઇઓ વહેંચવામાં આવી હતી. હાસિમે કહ્યું કે, કોઇ પણ રાજનેતા આપણી વચ્ચે અંતર પેદા નહીં કરી શકે. ચૂંટણી આવશે અને આવતી રહેશે, પરંતુ હંમેશા એક સાથે જ રહેવાનું છે.