વર્ષ 2019 ખતમ થવામાં હવે થોડાં જ દિવસો બાકી છે. એવામાં તમારે બેંક, ઈન્કમ ટેક્સ, પાન કાર્ડ અને એટીએમથી જોડાયેલા કામ 31 ડિસેમ્બર સુધી કરી લેવા જરૂરી છે. જો તમે 31 ડિસેમ્બર સુધી આ કામ પતાવ્યા નહીં તો તમને મુશ્કેલી થઈ શકે છે. ચાલો જાણી એવા 4 કામ વિશે જે વર્ષ 2019 ખતમ થાય તે પહેલાં પતાવી લેવા જરૂરી છે.
31 ડિસેમ્બર પહેલાં કરી લો આ 4 કામ
આધાર અને પાન લિંક કરાવી લો
Debit કાર્ડ બદલાવવું ફરજિયાત
31 ડિસેમ્બર પહેલાં આધાર અને પાન લિંક કરાવી લો
જો તમે હજી સુધી પાન અને આધાર લિંક નથી કારવ્યું તો હવે તમારી પાસે થોડાં જ દિવસો બાકી છે. આવકવેરા વિભાગે પાન અને આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2019 નક્કી કરી છે. જો આધાર અને પાન લિંક નહીં કરાવવામાં આવે તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) પાન કાર્ડને 'અમાન્ય' જાહેર કરી શકે છે. આ પછી અમાન્ય પાન હેઠળ જે પણ કાનૂની જોગવાઈ કરવામાં આવશે તેનું પાલન કરવું પડશે અને એવું માનવામાં આવશે કે વ્યક્તિએ પાન માટે અરજી જ કરી નથી.
SBIનો ATM Debit કાર્ડ
જો તમારું બચત ખાતું (સેવિંગ અકાઉન્ટ) દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)માં છે, તો તમારે 31 ડિસેમ્બર, 2019 સુધીમાં આ કામ અવશ્ય કરી લેવું જોઈએ. નહિંતર, તમે તમારા બેંક ખાતામાં રાખેલા નાણાં ઉપાડી શકશો નહીં. હકીકતમાં, એસબીઆઇ તેના ગ્રાહકોના મેગ્નેટિક સ્ટ્રિપ ડેબિટ કાર્ડને ઇએમવી ચિપ ડેબિટ કાર્ડમાં રૂપાંતરિત કરી રહ્યું છે. જો તમે હજી સુધી તમારા મેગ્નેટિક સ્ટ્રિપવાળા ડેબિટ કાર્ડને નવા કાર્ડમાં રૂપાંતરિત નથી કરાવ્યું, તો તમારી પાસે હજી એક તક છે. તમે 31 ડિસેમ્બર 2019 સુધી તમારી હોમ બ્રાન્ચમાં જઈને આ કાર્ય કરી શકો છો. જો તમે આવું નહીં કરો, તો તમારું ડેબિટ કાર્ડ કામ કરવાનું બંધ કરી દેશે.
31 ડિસેમ્બર સુધી ITR નહીં ભરો તો દંડ ભરવો પડશે
જો તમે હજુ સુધી 2018-2019 માટે તમારું આવકવેરા રીટર્ન (ITR) ફાઇલ કર્યું નથી, તો આવનારા સમયમાં તમારે ભારે દંડ ભરવો પડી શકે છે. તેનાથી બચવા માટે 31 ડિસેમ્બર સુધી ITR ભરવું જરૂરી છે. જો તમે અંતિમ તારીખ પછી અને 31 ડિસેમ્બર સુધી આવકવેરા રીટર્ન ફાઇલ કરી રહ્યા છો, તો તમારે 5000 રૂપિયા દંડ ભરવો પડશે. પરંતુ જો તમે 31 ડિસેમ્બર 2019 પછી અને 31 માર્ચ 2020 પહેલાં રિટર્ન ફાઇલ કરો છો, તો તમારે 10,000 રૂપિયા દંડ ભરવો પડી શકે છે.
'સબકા વિશ્વાસ યોજના' ની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર
જો તમે કોઈપણ સર્વિસ ટેક્સ અથવા એક્સાઈઝ ડ્યૂટી સંબંધિત વિવાદ સાથે સંકળાયેલા છો, તો તેના સમાધાન માટે 31 ડિસેમ્બર 2019 પહેલાં રજિસ્ટ્રેશન કરાવી લેવામાં જ તમારી ભલાઈ છે. સરકારના સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે, નાણાં મંત્રાલય 'સબકા વિશ્વાસ યોજના'ના અંતિમ સમયગાળાને વધારશે નહીં. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયે આવા વિવાદોના સમાધાન માટે આ યોજના શરૂ કરી હતી, જેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2019 છે.