દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ જ ક્રમમાં મહારાષ્ટ્રમાં પણ કેસો વધતાં જાય છે ત્યારે ફરીથી લોકોને માસ્ક પહેરવા માટે કહેવામાં આવી રહ્યું છે.
દેશભરમાં વધી રહ્યા છે કોરોનાના કેસો
મહારાષ્ટ્રમાં પણ ચિંતાજનક રીતે વધ્યા કેસો
ફરી એક વાર ફરજિયાત માસ્કનો નિયમ લાગૂ
દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ જ ક્રમમાં મહારાષ્ટ્રમાં પણ કેસો વધતાં જાય છે ત્યારે ફરીથી લોકોને માસ્ક પહેરવા માટે કહેવામાં આવી રહ્યું છે.
સ્વાસ્થ્ય મંત્રીએ લોકોને કરી અપીલ
સમગ્ર મામલે મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ સ્પષ્ટતા કરી હતી કે શાળા કોલેજ, રેલવે, ઓફિસ, બસ આવી બધી જગ્યાઑ પર માસ્ક પહેરો તો સારું રહેશે. અત્યારે માસ્ક ફરજિયાત નથી કર્યું પણ પ્રજાને અપીલ કરું છું કે માસ્ક પહેરવામાં આવે. સ્વાસ્થ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે મુંબઈ, થાણે, પૂણે, પાલઘર જેવા જિલ્લાઓમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. જોકે હાલ માસ્ક નહીં પહેરવા પર કોઈ દંડ લેવામાં આવશે નહીં.
Masks should be worn in closed spaces like buses, schools, railways, and offices. This is not mandatory, therefore no fine is imposed. But I appeal to the Maharashtra public to wear masks: Maharashtra Health Minister Rajesh Tope pic.twitter.com/C1rHE7Udf1
શુક્રવારના રોજ મહારાષ્ટ્રમાં નવા 1134 કોરોનાના કેસો મળ્યા હતા. તો વળી ત્રણ લોકોના મોત પણ થયા હતા. નવા આવેલા કેસોમાંથી 763 કેસો ખાલી મુંબઈમાં જ આવ્યા હતા.
દેશભરમાં શુક્રવારે 84 દિવસ બાદ 24 કલાકામાં કોરોના સંક્રમણના 4 હજાર નવા કેસો આવ્યા છે, જેને જોઈ સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે અને કોરોના સંક્રમણ રોકવા માટેની દિશાનિર્દેશ અને સતર્કતા જાહેર કરી દીધી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કેરલ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગણા અને તમિલનાડૂ સહિત પાંચ રાજ્યોના અધિકારીઓને કોરોના સંક્રમણને લઈને એક પત્ર લખી નિર્દેશ આપ્યા છે, જેમાં કોરોનાના સતત વધી રહેલા કેસો અને સંક્રમિત થઈ રહેલા લોકોના ગ્રુપનું ઝીણવટ પૂર્વક દેખરેખ કરવા તથા ટેસ્ટીંગ વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને પત્ર લખ્યો છે
કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકાર પણ સતર્ક છે. આ અંગે આરોગ્ય મંત્રાલય તરફથી રાજ્ય સરકારોને પત્ર લખવામાં આવ્યો છે. તેના પત્રમાં, આરોગ્ય મંત્રાલયે મુખ્યત્વે પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, કેરળ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુમાં વધતા ચેપને રોકવા માટે સાવચેતીનાં પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. આરોગ્ય મંત્રાલયે આ રાજ્યોને કડક તકેદારી રાખવા જણાવ્યું છે.
પાંચ ગણા ઝડપી કોરોના પર કાબૂ લાવવા સલાહ
રાજેશ ભૂષણે રાજ્યોને સલાહ આપી છે કે, તે પાંચ ગણા ઝડપથી પોતાની રણનીતિને પ્રસાર કરે, જેમાં કોરોના સંક્રમિતની ટેસ્ટ ટ્રેક અને ટ્રિટ તથા રસીકરણને સામેલ કરી છે. તેમનું કહેવુ છે કે, નવા કોરોના સંક્રમિત કેસોની દેખરેખ હેઠળ દિશાનિર્દેશ અનુસાર કરવી જોઈએ અને સાથે જ રાજ્યોને પોતાની કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો કરવો જોઈએ.
ગત અઠવાડીયએથી વધી રહ્યા છે કેસો
રાજેશ ભૂષણનું કહેવુ છે કે, ભારતમાં છેલ્લા 3 મહિનાથી કોરોના સંક્રમણની સંખ્યા સતત ઘટી રહી છે. તો વળી વિતેલા એક અઠવાડીયામાં કોરોનાના કેસોમાં મામૂલી વધારો આવ્યો છે. તેમનું કહેવુ છે કે, અઠવાડીયાના અંતે 15,708 નવા કેસો આવ્યા છે, જે જૂનમાં 21,055ની પાર પહોંચી ગયા છે.