ટીવી શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ના સેટ પરથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ચાલો જાણીએ.
તારક મહેતાના દર્શકો માટે ખાસ સમાચાર
સીરિયલના બે પાત્રોને લઈને સામે આવ્યા ખરાબ સમાચાર
બંને પાત્રોની તબિયત બગડી છે
તારક મહેતાના સેટ પરથી જે સમાચાર સામે આવ્યા છે એ જાણ્યા બાદફેન્સ પરેશાન થઇ શકે છે. રિપોર્ટ્સ મુજબ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં 'ભિડે'નો રોલ પ્લે કરનારા મંદાર ચંદવાદકરનું સ્વાસ્થ્ય ઠીક નથી ચાલી રહ્યું. તેને શરદી અને વાયરલ છે. સેટ પર બાકીનાં લોકોનું ધ્યાન રાખતા મંદારે થોડાં સમય માટે શૂટિંગ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
આ સમાચારના થોડાં જ સમયમાં શોના નિર્માતા અસિત મોદીએ શૂટિંગ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ઈટાઇમ્સના રિપોર્ટ મુજબ, 'ટપ્પૂ'ની ભૂમિકા પ્લે કરનાર રાજ અનડકટ ગત ઘણાં સમયથી શૂટિંગ પર એ જ સમયે આવે છે જ્યારે તેનો સીન હોય છે અને પછી તે જતો રહે છે. આ અંગે સૂત્રોનું કહેવું છે કે કોઈને ખબર નથી કે રાજની તબિયતને શું થયું છે. કદાચ તેને વાયરલ છે.
આ વર્ષે માર્ચમાં મંદાર ચંદવાદકર કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયો હતો. જોકે, મંદાર આજે બપોરે સેટ પર પરત આવી ગયો છે અને શૂટિંગ સામાન્ય સ્થિતિમાં ચાલી રહી છે. આ વિશે મંદારે કહ્યું કે, 'હાં, હું અસ્વસ્થ હતો, હકીકતમાં ગઈકાલે મારા બધાં સીન શૂટ થઈ શક્યા નહીં. ગણપતિના સીન હતા જેને શૂટ કરવાના બાકી હતા. તમને જણાવી દઈએ કે આ શોમાં કલાકારો પર કોરોનાનો કહેર વરસ્યો હતો. જેના કારણે શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ ઘણી સાવધાની રાખી હતી.