વર્લ્ડ કપ 2019ની હાઇ વૉલ્ટેજ મેચ 16 જૂનના રમાશે, જ્યારે બે ટીમ ભારત અને પાકિસ્તાન એકબીજા સામે રમશે.
મૈનચેસ્ટરના ટ્રેન્ટ બ્રિજ ખાતે ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ક્રિકેટના ગ્રાઉન્ડ પર ટીમ ઇન્ડિયા ફરી એકવખત પાકિસ્તાને હરાવવા માટે તૈયાર છે. પાકિસ્તાન માટે પણ આ મેચ 'करो या मरो' જેવી સ્થિતિ બરાબર છે.
આ મેચમાં ઇંગ્લેન્ડના હવામાન કેટલો સાથ આપશે, તે સમજ જ બતાવશે. જોકે ક્રિકેટ ફેન્સ માટે વાતાવરણનુ પૂર્વનુમાન ક્યાંયથી પણ ઉત્સાહજનક નથી. હવામાન વિભાગ અનુસાર, રવિવારના મૈનચેસ્ટરમાં વાદળવાળુ વાતાવરણ રહેશે અને વરસાદ પણ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘ ટીમ ઇન્ડિયાની મેચ વરસાદને લીધે રદ્દ થઇ ચૂકી છે.
રિપોર્ટ અનુસાર, રવિવારે મૈનચેસ્ટરમાં સવારે 9 વાગે વરસાદ આવશે જેના લીધે ગ્રાઉન્ડ ભીનુ થઇ શકશે, જે પછી 11 વાગે પણ વરસાદ આવવાની સંભાવના છે. જોકે 2 વાગે ફરી વરસાદ આવવાનું પૂર્વનુમાન છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપમાં અત્યાર સુધી 6 મેચ રમાઇ ચૂકી છે અને તમામમાં ટીમ ઇન્ડિયાની જીત થઇ છે. પુલવામા હુમલા પછી બંને દેશો વચ્ચે રાજનીતિક તણાવને કારણે આ મેચના બહિષ્કારની પણ માંગ થઇ હતી. જોકે કોઇ કારણોસર આ શક્ય ના થયુ.
વર્લ્ડ કપમાં ક્યારે થઇ ભારત-પાકિસ્તાનની મેચ:
1992: ભારતે પાકિસ્તાનને 43 રનની માત આપી, સિડની ખાતે
1996: ભારતે પાકિસ્તાનને 39 રનની માત આપી, બેંગ્લોર ખાતે
1999: ભારતે પાકિસ્તાનને 47 રનની માત આપી, મૈનચેસ્ટર ખાતે
2003: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે માત આપી, સેન્ચુરીય ખાતે
2011 : ભારતે પાકિસ્તાનને 29 રનની માત આપી, મોહાલી ખાતે
2015: ભારતે પાકિસ્તાનને 76 રનની માત આપી, એડિલેડ ખાતે
ICCની ટીકા:
વરસાદને કારણે રદ્દ થયેલી મેચને લઇને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને ટીકા કરવામાં આવી રહી છે. સોશ્યલ મીડિયા પર યૂઝર્સ ICCને રિઝર્વ ડે 'ના' રાખવા માટે ટ્રોલ કરી રહ્યા છે.