જે વ્યક્તિએ અમિત શાહની રેલીમાં નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો એ વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે, નારા લગાવવાને કારણે તેને ખુબજ માર મારવામાં આવ્યો. ગત રવિવારે દિલ્હીના બાબરપુર વિસ્તારમાં ગૃહમંત્રી અમિત શાહની એક રેલી આયોજીત કરવામાં આવી હતી. આ રેલીમાં 20 વર્ષના એક યુવક નાગરિકતા કાયદો (CAA) ની વિરુદ્ધ અચાનક નારા લગાવવા લાગ્યો હતો.
અમિત શાહની રેલીમાં CAAનો વિરોધ કરનાર યુવકને માર મારવામાં આવ્યો
દિલ્હીમાં અમિત શાહની એક રેલી આયોજીત કરવામાં આવી હતી
દિલ્હી પોલીસે યુવકને જબરજસ્તીથી લખાવ્યું કે તે પાગલ છે
હવે આ યુવકનું કહેવું છે કે,'એ દિવસે નારા લગાવવાના તાત્કાલીક બાદ ત્યાં હાજર દર્શકોએ મને પાછળથી ઘસડીને જમીન પર પાડી દીધો...તેમાંથી કેટલાક લોકોએ મને ખુરશીથી માર માર્યો.' યુવકનો એમ પણ આરોપ છે કે, પોલીસે તેની પાસેથી જબરજસ્તીથી એમ લખાવ્યું કે, તે મગજથી અસ્થિર એટલે કે પાગલ છે.
આ યુવકનું નામ હરજીત સિંહ બતાવવામાં આવી રહ્યું છે. યુવક હરજીત સિંહને ચહેરા, પીઠ અને પગ પર ઇજા પહોંચી છે. અમિત શાહની રેલી દરમિયાન હરજીત સિંહે 'સીએએ પાછો લો' ના નારા લગાવ્યા હતા.
દિલ્હી યુનિવર્સિટી (Delhi University) ના બીએ સેકન્ડ ઇયરના સ્ટુડન્ટ હરજીત સિંહનું કહેવું છે કે, ત્યાં હાજર લોકો દ્વારા માર માર્યા બાદ પોલીસ તેને ઉઠાવીને પોલીસ સ્ટેશન લઇ ગઇ અને વિના કોઇ ગુનાએ લૉક અપમાં બંધ કરી નાંખ્યો. પોલીસે કહ્યું કે, જો તેઓ કાગળ પર 'હું પાગલ છું' નહીં લખે તો તેને લૉક-અપમાંથી બહાર નીકાળવામાં નહીં આવે. હરજીત સિંહનો એમ પણ આરોપ છે કે, ઇજા અને દુખાવાની ફરિયાદ કરવા છતા પોલીસ તેને હોસ્પિટલ ન લઇ ગઇ.
જોકે, આ આખા મામલામાં ડીસીપી (નોર્થ ઇસ્ટ) વેદ પ્રકાશ સૂર્યાએ હવે સ્પષ્ટતા કરી છે. ડીસીપીએ હરજીત સિંહના તમામ આરોપોથી ઇનકાર કર્યો છે. ડીસીપીનું કહેવું છે કે, પોલીસ સ્ટેશનમાં હરજીત સિંહ પાસેથી કંઇપણ જબરજસ્તી લખાવવામાં નહોતું આવ્યું.
પોતાની સાથે થયેલા બનાવની વિસ્તારથી ચર્ચા કરતા હરજીત સિંહે કહ્યું કે, 'એ દિવસે હું સીલમપુરમાં એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા જઇ રહ્યો હતો. આ દરમિયાન બાબરપુરમાં મોટી સંખ્યામાં પોલીસ જવાન તહેનાત હતા. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, થોડી વારમાં ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આવવાના છે. મેં ગૃહમંત્રીને જોયા અને વિચાર્યું કે, આ યોગ્ય સમય છે પોતાના વાત બુલંદ કરવા માટે.
આ દરમિયાન જ્યારે રેલીમાં અમિત શાહ (Amit Shah) એ સીએએ (CAA) લાગુ કરવા પર પોતાની વાત રાખી ત્યારે મેં ભીડની વચ્ચે સીએએ (CAA) ની વિરુદ્ધ નારા લગાવ્યા હતા. હરજીત સિંહનું કહેવું છે કે, તેઓ ભગત સિંહના આદર્શો પર ચાલે છે અને દેશમાં તમામ લોકોને પોતાની વાત રાખવાનો પૂર્ણ હક છે.