કરોડો રૂપિયા પગાર, મફત કંપનીમાં ખાવાનું, અનલિમિટેડ હોલિડેઝ. પરંતુ એક વાતથી વ્યક્તિ એટલો પરેશાન થઈ ગયો કે આ માણસે બિન્દાસની નોકરી છોડી દીધી.
કોરોના પછી બધું જ લાગવા લાગ્યું બોરિંગ
ફ્રી ફૂડ અને અનલીમીટેડ રજાઓ મળતી નોકરીમાં
નેટફ્લિક્સમાં હતો સોફ્ટવેર એન્જિનિયર
3.5 કરોડનો પગાર મળતો હતો
એક તો આજકાલ નોકરી મળવી મુશ્કેલ છે અને બીજી બાજુ નોકરીમાં ટકી રહેવા માટે તમારે મહેનત પણ કરવી પડે છે. પરંતુ ઘણા લોકો એવા છે જેમને નોકરી મળે છે, અને કરોડો રૂપિયાનો પગાર પણ મળે છે અને તેમ છતાં તેઓ નોકરી છોડી દે છે. આજે તમને આવા જ એક સમાચાર જણાવશું કે તમે વાંચીને ચોંકી જશો. અમેરિકામાં નેટફ્લિક્સમાં કામ કરતા એક વ્યક્તિએ રાજીનામું આપી દીધું. તેનો વાર્ષિક પગાર 3.5 કરોડ રૂપિયા હતો. કરોડોનો પગાર હોવા છતાં તેમણે નોકરી છોડી દીધી.
નેટફ્લિક્સમાં સોફ્ટવેર એન્જિનિયર
આ વ્યક્તિનું નામ માઇકલ લિન છે. તેણે નેટફ્લિક્સમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો હતો. પોતાની લિંક્ડઇન પોસ્ટમાં લિન લખે છે કે તેને લાગ્યું હતું કે નેટફ્લિક્સમાં જોડાતી વખતે તેને લાગતું હતું કે તે આખી જિંદગી આ કંપનીમાં જ કામ કરવાનો છે.
મફતમાં મળતો ખોરાક
એવું પણ નહતું કે અહીંની કંપની સાથે સંબંધિત કોઈ સમસ્યા હતી. તેમને કંપનીમાં તમામ પ્રકારનું ભોજન મળતું. સાથે અમર્યાદિત રજાઓ મળતી હતી અને તેમનો પગાર $450,000 (વાર્ષિક આશરે રૂ. 3.5 કરોડ) હતો. પરંતુ જ્યારે લિને મે 2021 માં નોકરી છોડી દીધી હતી, ત્યારે આ સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા હતા.
માતા-પિતા પણ ચિંતિત
તેમનું કહેવું છે કે તેમનો આ નિર્ણય સાંભળીને બધા જ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ વાતથી તેમના પરિવારને ભારે આઘાત લાગ્યો હતો. તેમને લાગતું હતું કે તે પાગલ છે. તેના મેન્ટરે પણ તેના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી તેને બીજી નોકરી ન મળે ત્યાં સુધી તેણે નોકરી છોડવી જોઈએ નહીં.
બધું જ બોરિંગ લાગવા લાગ્યું હતું
માઇકલ માટે આ નિર્ણય લેવો સહેલો ન હતો. તે કામ કરતી વખતે ઘણું શીખ્યો. પરંતુ કોરોના કાળ બાદ ધીરે ધીરે તેમને આ બધુ બોરિંગ લાગવા લાગ્યું હતું. કંપની તરફથી મળતી તમામ સુવિધાઓ, સાથે કામ કરનારા લોકો અને બાકીની વસ્તુઓ એકસાથે બંધ થઇ ગઈ. માત્ર કામ જ બચ્યું હતું. તે કંટાળી ગયો. પછી તેને મજા આવવાનું બંધ થઇ ગયું અને તેણે રાજીનામું આપી દીધું.
નોકરી છોડ્યા પછી પણ કોઈ બદલાવ ન આવ્યો
બધા એવું જ વિચારતા હશે કે આખરે કરોડોનો પગાર મેળવનાર લિનને નોકરી છોડતી વખતે તેને ઘણો ફરક પડ્યો હશે. પરંતુ તેમને તેનાથી કોઈ ફરક ન પડ્યો. નોકરી છોડ્યા બાદ આઠ મહિના સુધી તેમણે ક્રિએટર, લેખકો અને ઉદ્યોગસાહસિકોને મળવાનું ચાલુ કર્યું હતું. હવે તે પોતાનું ખુદનું કઈ કામ શરૂ કરવા વિશે વિચારી રહ્યો છે. તે માને છે કે તે તેના માટે આજ સારું રહેશે અને બાકીની વસ્તુઓથી તેને કોઈ ફરક પડતો નથી.