જામનગરમાં ભાઈ-બહેનના પ્રેમનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ભાઈએ બહેનને મોતને ઘાટ ઉતારીને પોતે પણ મોત વહાલું કરી લીધું હતુ અને એનું કારણ ખરેખર ખૂબ ચોંકાવનારૂ હતુ.
શું છે સુસાઈડ નોટમાં?
કેમ કર્યો આપઘાત
પહેલા બહેનને ઉતારી મોતની ઘાટ
જામનગર પોલીસ સામે એવો કેસ આવ્યો કે બે મિનિટ તો પોલીસ પણ વિચારતી રહી ગઈ હતી. એક ભાઈએ પહેલા બહેનને મોતને ઘાટ ઉતારી અને પછી પોતે પણ મોતને વહાલું કરી લેતા ચકચાર મચી ગઈ હતી.
જામનગર શહેરના રામેશ્વરનગરમાં રહેતા 67 વર્ષના હર્ષિદાબેન છગનલાલ જેઠવાનું મોત થયું હતુ. હર્ષિદાબેનની હત્યા કરવામાં આવી હતી. જોવાની ખુબી એ છે કે હર્ષિદાબેનના મોત બાદ કલાકોમાં જ તેમના નાના ભાઈ અનિલભાઈ જેઠવાનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. 57 વર્ષના અનિલભાઈ જેઠવા મ્યુ. કોર્પોરેશનમાં હાઉસ ટેક્સ વિભાગના કર્મચારી હતી. અનિલભાઈના ખીસ્સામાંથી સુસાઈડ નોટ પણ મળી આવી છે.
અનિલભાઈનો મૃતદેહ અવાવરૂ જગાએ થી મળ્યો
અનિલભાઈનો મૃતદેહ જામનગર RTOની નજીક અવાવરૂં જગ્યાએથી મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં અનિલભાઈએ ઝેરી દવા પીધા બાદ હાથની બંન્ને નશો કાપીને મોત વહાલું કરી લીધુ છે જ્યારે હર્ષિદાબેનનું મોત ગળુ દબાવીને કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. અનીલભાઈના ખીસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવી છે.
શું છે સુસાઈડ નોટમાં?
અનિલભાઈએ લખેલી અંતિમ નોટમાં તેમણે બહેનનું ધ્યાન કોણ રાખશે એટલે બહેનને પણ હું સાથે લેતો જઉં છું તેવો ઉલ્લેખ કર્યો છે વળી પોતાને રાતે ઉંઘ નથી આવતી અને માનસિક બિમારી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પોલીસે શરૂ કરી કાર્યવાહી
પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે, પીએમ રીપોર્ટ આવ્યા બાદ સાચી વિગતો સામે આવશે. હાલ તો પોલીસે આ મામલે આપઘાત અને હત્યાની દિશામાં તપાસના સૂત્રો ગતિમાન કર્યા છે.