PM મોદી આજે રેડિયો પર 76મી વખત મન કી બાત કરશે અને સાથે કોરોના સંક્રમણ અને ઓક્સીજનની અછત પર ચર્ચા કરી શકે છે.
PM મોદી આજે કરશે Mann ki Baat
76મી વખત મન કી બાત કરશે
કોરોના સંક્રમણ અને ઓક્સીજનની અછત પર ચર્ચા કરી શકે છે
PM મોદી આજે સવારે 11 વાગે રેડિયો પર મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરશે. કાર્યક્રમની મદદથી દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણ અને વેક્સીનની સાથે ઓક્સીજનની અછત પર જનતાની સાથે પોતાના વિચારો રજૂ કરી શકે છે.
મન કી બાતની 76મી કડી
જાણકારી અનુસાર આજે પીએમ મોદી માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતની 76મી કડી રજૂ કરશે. આ કાર્યક્રમને આકાશવાણી અને દૂરદર્શનના કોઈ પણ નેટવર્ક પર સાંભળી શકાય છે. આ કાર્યક્રમને ફોન પર પણ સાંભળી શકાય છે. આ માટે તમારે 1922 નંબર ડાયલ કરવાનો રહે છે. આ પછી તમને એક કોલ આવશે. જેમાં તમે તમારી પસંદની ભાષા પસંદ કરી શકો છો. અને આ કાર્યક્રમ સાંભળી શકો છો.
કોરોના પર કરી શકે છે વાત
મળતી માહિતી અનુસાર આ કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે યોજવામાં આવે છે. જેમાં પીએમ મોદી દેશના મોટા મુદ્દા પર પોતાના વિચારો જનતા સામે રાખે છે. પીએમ મોદીએ આ પહેલા 28 માર્ચે મન કી બાત કાર્યક્રમમાં અનેક લોકોને સંબોધિત કર્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે કોરોના સંક્રમણથી છૂટકારો મેળવવા માટે સરકારની તરફથી કરાઈ રહેલા પ્રયાસોને પીએમ મોદી જનતાની સાથે શેર કરી શકે છે. આ સાથે જ કોરોના સંકટમાં હીરો બનીને સામે આવેલા લોકોની સ્ટોરી પણ જનતા સામે રજૂ કરી શકે છે.