શ્રદ્ધાંજલી આપવા માટે આ વ્યક્તિએ પોતાના શરીર પર 600થી વધારે કારગિલના શહીદોના નામનું ટેટૂ બનાવ્યું. શરીર પર ન ફક્ત નામ, પરંતુ ચિત્રો અને સ્મારક પણ બનાવ્યા છે.
અભિષેકે પોતાના શરીર પર લખાવ્યા 631 શહીદોના નામ
ફક્ત નામ જ નહીં પરંતુ ચિત્રો અને સ્મારક પણ બનાવ્યા
ઉપલબ્ધિ બાદ અભિષેકે આપ્યું આવું નિવેદન
શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટાભાગના લોકો તેમના ફોટાની સામે ફૂલ અથવા દિવાઓ પ્રજ્વલિત કરે છે. જો કે એક વ્યક્તિ અલગ રીતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનું ઝનૂન ધરાવે છે. હાપુડમાં રહેતા ઈન્ટિરિયર ડિઝાઈનર પંડિત અભિષેક ગૌતમે એક અનોખું કામ કર્યું છે. તેણે પોતાના શરીરમાં 600થી વધુ શહીદોના નામ લખ્યા છે.
અભિષેકે પોતાના શરીર પર 631 શહીદોના નામનું ટેટૂ કરાવ્યું
અભિષેક ગૌતમ હાલમાં બડહરિયાના રસુલપુરમાં ઈન્ટીરીયર ડીઝાઈનિંગનું કામ કરે છે. મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે તેમના શરીર પર 631 શહીદોના નામના ટેટૂ છે. આમ કરાવીને તેણે પોતાને ચાલતુ ફરતુ શહિદ સ્મારક બનાવી દીધુ છે. એક અહેવાલ મુજબ અભિષેકે જણાવ્યું છે કે કુલ 631 શહીદોમાંથી 559 નામ કારગીલના શહીદોના છે.
માત્ર નામો જ નહીં પણ ચિત્રો અને સ્મારકોના ટેટૂ પણ બનાવ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર તે માર્ચ 2021 થી સિવાનમાં રહે છે અને તેના શરીર પર શહીદોના નામ તેમજ તસવીર, ઈન્ડિયા ગેટ અને શહીદ સ્મારક લખેલા છે. જ્યારે પણ લોકો તેના શરીરને જુએ છે ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે કારણ કે આવું ભાગ્યે જ જોવા મળે છે જેવુ અભિષેકે કર્યું છે.
શું કહે છે અભિષેક?
અભિષેકે એમ પણ જણાવ્યું કે તેમણે પોતાના શરીર પર કારગિલના શહીદોમાં શામેલ છપરાના એકમાના લોન્સ નાઈક અરુણ કુમાર સિંહના પરિવારને પણ મળ્યા છે. હવે તે ઈચ્છે છે કે એકમામાં અરુણ કુમાર સિંહની પ્રતિમા પણ બનાવવામાં આવે. આ માટે તે અથાક મહેનત કરી રહ્યો છે.