ટીવી પર વારંવાર દર્શાવાઈ રહેલી ફિલ્મ સૂર્યવંશમથી કંટાળીને એક શખ્સે ચેનલને ચિઠ્ઠી લખીને ફિલ્મનું પ્રસારણ બંધ કરી દેવાનું જણાવ્યું હતું.
ટીવી ચેનલ પર વારંવાર આવી રહી છે બચ્ચનની ફિલ્મ સૂર્યવંશમ
લોકો જોઈ જોઈને કંટાળ્યાં
એક શખ્સે ચેનલને પત્ર લખીને બંધ કરવાની કરી વિનંતી
તેની ચિઠ્ઠી થઈ ગઈ વાયરલ
શું તમે 'સૂર્યવંશી' ફિલ્મ જોઈ છે? આ સવાલ પૂછીને અમે તમારા ઘા પર મીઠું ભભરાવતા નથી. બસ, જાણવું છે કે તમે આ ફિલ્મ ટીવી પર કેટલી વાર જોઈ છે. કારણ કે એક વ્યક્તિએ આ ફિલ્મ એટલી જોઇ કે તે હેરાન થઇ ગયો અને ચેનલને ફિલ્મનું પ્રસારણ બંધ કરીને તેમને માનસિક શાંતિ આપવાની અપીલ કરી દીધી. શખ્સે પત્રમાં ઘણા સવાલ પૂછ્યા છે પહેલો સવાલ એ છે કે, હીરા ઠાકુર સાથેની આ ફિલ્મનું પ્રસારણ ચેનલ પર કેટલું કરવામાં આવ્યું છે. બીજો સવાલ- ભવિષ્યમાં કેટલી વખત ફિલ્મનું પ્રસારણ થશે? આ સિવાય છેલ્લો સવાલ તેમણે કર્યો છે કે આ ફિલ્મ જોયા બાદ અમે પાગલ થઈ જઈશું તો તેને માટે કોણ જવાબદાર ગણાશે.
વાયરલ થયો ફની લેટર
આ ફની લેટર ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. આ વાંચીને યૂઝર્સ પોતાનો ફીડબેક આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે આ માત્ર ભારતમાં જ શક્ય છે. બીજાએ કહ્યું કે આ મારા પિતાની ફેવરિટ ફિલ્મ છે. સાથે જ કેટલાક યૂઝર્સે કહ્યું કે આ વ્યક્તિને સલામ. તે કરવું જરૂરી હતું. તેવી જ રીતે કેટલાક યૂઝર્સે કહ્યું કે, અમે આ વ્યક્તિનું દર્દ સમજી શકીએ છીએ. એક વ્યક્તિએ લખ્યું કે, ઝેરીલી ખીર જોયા બાદ હવે તેણે ખીર ખાવાનું બંધ કરી દીધું.
શું લખ્યું શખ્સે તેના લેટરમાં
શખ્સે ટીવી ચેનલ સોની મેક્સને પૂછ્યું કે તમારી ચેનલને સૂર્યવંશમ ફિલ્મના પ્રસારણનો ઠેકો મળ્યો છે. તમારી કૃપાથી અમે, અમારો પરિવાર, હીરા ઠાકુર અને તેમના પરિવારને સારી રીતે જાણી ચૂક્યો છે. જોઈ જોઈને આખી ફિલ્મ અમને યાદ રહી છે. હું કહું છું તમારી ચેનલે આ ફિલ્મ કેટલી વાર દએખાડી છે અને ભવિષ્યમાં કેટલી વાર દેખાડશો, આ ફિલ્મ દેખાડવાનું ક્યારે બંધ કરશો. આ ફિલ્મ જોયા બાદ અમને કંઈ થઈ જશે તો તેના માટે કોણ જવાબદાર ગણાશે. શખ્સે લખ્યું કે કૃપા કરીને જવાબ આપવાની તસદી લેજો.