રાજસ્થાનનું જોધપુર પોતાના રાજાશાહી પરંપરાને કારણે જાણીતું છે. આ પરંપરાઓમાં ખાસ છે જોધપુરના કિલ્લી મેહરાનગઢ કિલ્લાથી ગરૂડોને ખાવાનું ખવડાવવાની પરંપરા. જો તમે પણ જોધપુર જવાનો છો તો આ પરંપરા જોવાનો અનુભવ એક અલગ સાબિત થશે. જાણો દરરોજ કેમ આમ કરવામાં આવે છ અને શું છે આ પાછળનું ખાસ કારણ....
જોધપુરના રાજીવી પરિવારોનુ માનવુ છે કે ગરૂડ તેમના રક્ષક છે, આ માટે મહેરાનગઢ કિલ્લામાં બપોરના સમયે તેમને ખાવાનું ખવડાવવામાં આવે છે. આ વખતે મોટી સંખ્યામાં ગરૂડો ત્યા આવે છે અને માંસ ખાય છે.
ગરૂડોને માંસ ખવડાવતા લતીફ કુરૈશી અનુસાર, ''મારા પરિવારની છેલ્લી કેટલીક પેઢીઓ આ કામ કરી રહી છે. આ પરંપરા લગભગ 500 વર્ષ પહેલા, રાવ જોધાજીના સમયથી શરૂ થઇ. અમારા બાપ-દાદા પણ આ કામ કરતા હતા. અહીંયા દિવસમાં એક વખત મેહરાનગઢ કિલ્લાની ટોચથી માંસ ખવડાવવામાં આવે છે.''
માનવામાં આવે છે કે ગરૂડ તેમની રક્ષક છે અને જ્યાં સુધી તે ત્યાં રહેશે ત્યાં સુધી રાજીવી પરિવાર અને મેહરાનગઢનો કિલ્લો પણ રહેશે. ગરૂડોને માતા ચામુંડાનું સ્વરૂપ માનવામાં આવે છે. કુરૈશીએ આગળ જણાવ્યુ કે, ''ગરૂડોને એક વખત ખવડાવવામાં લગભગ બકરીનું લગભગ 5-6 કિલો માંસ લાગે છે.''
અહીંયા ગરૂડોને ખવડાવવા દરમિયાન એક વાત ખાસ કરીને જોવાલાયક હોય છે અને તે છે માંસના ટુકડા જમીન પર હોય કે કિલ્લાની ટોચ પર, જ્યાં સુધી કુરૈશી પોતાના હાથથી ઉછાળીને નથી આપતા ત્યાં સુધી ગરૂડોને આ ટુકડાને ખાતા તક નથી.
કુરૈશીએ આગળ કહ્યુ કે, ''જ્યારે પણ તેઓ માંસ ઉછાળે છે ત્યારે ગરૂડો તેણે પકડે છે અને ક્યારેય નીચે નથી પડવા દેતા.'' ઉલ્લેખનીય છે કે, લતીફ કુરૈશી જોધપુરમાં માંસની દુકાન ચલાવે છે અને આ કામ માટે તેઓ કોઇપણ પ્રકારના રૂપિયા વસૂલતા નથી. લોકોના દાન અને શ્રદ્ઘાથી જે કંઇ રકમ આવે છે તેનો ઉપયોગથી તેઓ આ કામ કરે છે.