પુણે બાદ મુંબઇમાં એક વૃદ્ધને સમયસર સારવાર નહીં મળતા રસ્તા પર જ તેમણે દમ તોડી દીધો હતો. આ ઘટના શુક્રવારે દહીંસર વિસ્તારમાં બની હતી. ભાજપ નેતા કિરીટ સોમૈયાએ ટ્વીટર પર તેનો વીડિયો શેર કર્યો હતો. કેટલાક દિવસ પહેલા પુણેમાં પણ એક વૃદ્ધને એમ્બ્યુલન્સ લેવા ન પહોંચી શકતા, તેણે પણ રસ્તાના કિનારે એક ખુરશીમાં બેસીને દમ તોડ્યો હતો.
મુંબઇમાં ફરી એક હ્રદય દ્રાવક ઘટના
વૃદ્ધને સમયસર સારવાર નહીં મળતા થયું મોત
ભાજપના નેતાએ ટ્વીટ કર્યો વીડિયો
ભાજપ નેતા કિરીટ સોમૈયાએ ટ્વિટર પર લખ્યું કે, 'દહીંસરના શાંતિ નગરમાં રસ્તા પર વધુ બે લોકોનાં મોત થયાં છે. તેમને ન તો એમ્બ્યુલન્સ મળી ન સારવાર મળી. એક ચોકીદારને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. સવારે 11.30 વાગ્યે પોલીસ અને બીએમસીને જાણ કરવામાં આવી હતી અને મદદ માંગવામાં આવી હતી. જો કે, આ વ્યક્તિનું બપોરે 3.30 વાગ્યે મોત નીપજ્યું હતું. પોલીસ અને બીએમસીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. "
વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે, એક વૃદ્ધ દીવાલને અડકીને બેઠા છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને તેઓ કણસી રહ્યા છે.
થોડા દિવસ પહેલા પુણેમાં પણ એક વૃદ્ધનું આવી જ રીતે થયું હતું મોત
થોડા દિવસો પહેલા પુણેના નાનાપેઠ વિસ્તારમાં એક વૃદ્ધ વ્યક્તિની આવી જ પરિસ્થિતિમાં મૃત્યુ થયું હતું. તેને પણ ન તો એમ્બ્યુલન્સ મળી ન સારવાર મળી. તેને છાતીમાં દુ:ખાવો થતો હતો. આપને જણાવી દઇએ કે, આ વૃદ્ધ જ્યાં રહેતા હતા તે વિસ્તાર હોટસ્પોટ ઝોન હતો. આવી સ્થિતિમાં બેરીકેડિંગને કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકી નહોતી. તો કોઈ ઓટો ડ્રાઇવરે તેમને હોસ્પિટલમાં પહોંચાડવામાં મદદ કરી ન હતી.
2 more person (watchman) died on road at shanti nagar, Dahisar Due to unavailability of AMBULANCE, medical treatment Today 11.30 am watchman was breathing heavily, Police BMC were informed Ambulance did not arrived He died 3.30pm BMC, Police confirmed Incident @BJP4Maharashtrapic.twitter.com/IALMrLGYbU
થોડા દિવસ પહેલા દર્દી વચ્ચે મૃતદેહ રાખવામાં આવ્યો હોય તેવા વીડિયો થયો હતો વાયરલ
આ અગાઉ ભાજપના નેતા નીતેશ રાણેએ મુંબઈની સાયન હોસ્પિટલનો એક વીડિયો શેર કર્યો હતો. તે સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું હતું કે સંક્રમણથી મૃત્યુ પછી કેટલાક મૃતદેહો દર્દીઓની વચ્ચે રાખવામાં આવ્યા હતા. કેટલાક મૃતદેહો ધાબળાથી તો કેટલાક કપડાથી ઢાંકવાામાં આવ્યા હતા. આ બાબતની જાણ થતાં જ સરકારે તપાસના આદેશ આપ્યા. આ ઘટના ભૂતપૂર્વ BMC કમિશનરની બદલી થવાનું કારણ હોવાનું પણ કહેવામાં આવે છે.