દેશમાં કોરોના વાયરસના કારણે કહેર વર્તાયો છે. કોરોના વાયરસથી થતા મોત પણ અટકવાનું નામ નથી લઈ રહી. આ દરમિયાન પશ્ચિમ બંગાળમાંથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા વૃદ્ધ વ્યક્તિની લાશને ફ્રીઝરમાં 48 કલાક સુધી રાખવામાં આવી હતી.
કોરોના વાયરસનો કહેર યથાવત
કોરોના વાયરસથી વૃદ્ધનું મોત
તંત્રની બેદરકારી, લાશ ફ્રિજરમાં રાખવી પડી
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર પશ્ચિમ બંગાળના કોલકાતામાં કોરોના વાયરસના કારણે 71 વર્ષીય વૃદ્ધ વ્યક્તિનું મોત નીપજ્યું. પરિવારના સભ્યોનું કહેવું છે કે વૃદ્ધના અંતિમ સંસ્કાર માટે અધિકારીઓ તરફથી કોઈ મદદ મળી નથી. જે બાદ પરિવારના સભ્યોએ 48 કલાક સુધી મૃતદેહને ફ્રીઝરમાં રાખવો પડ્યો હતો.
પીટીઆઈએ આરોગ્ય વિભાગનાં સૂત્રો ટાંકતાં કહ્યું છે કે 71 વર્ષના વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ હતી. સોમવારે મધ્ય કોલકાતાના રાજા રામમોહનરાય સરાણી વિસ્તારમાં તેમના મકાનમાં તેનું મોત નીપજ્યું હતુ. જોકે, સોમવારે ડોકટરે તેને કોરોના વાયરસની તપાસ કરાવવાનું કહ્યું હતુ.
આ પછી તેના કોરોના વાયરસની પણ તપાસ કરવામાં આવી. પરિવારના સભ્યના જણાવ્યા મુજબ તપાસ કર્યા બાદ ઘરે પાછા ફર્યા અને એ બાદ તેમની તબિયત લથડી હતી અને બપોરે તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ સંબંધિત ડોક્ટરને થતાં તેઓ પી.પી.ઇ કીટ પહેરી મૃત વ્યક્તિના ઘરે ગયા હતા.
જો કે ત્યાં તેમણે ડેથ સર્ટિફિકેટ આપ્યું નહીં અને કહ્યું કે તે કોવિડ -19 કેસ છે. આ પછી ડૉક્ટરે પરિવારને અહમર્સ્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું. જ્યારે પરિવારે પોલીસનો સંપર્ક કર્યો તો પોલીસે પરિવારને સ્થાનિક કાઉન્સિલરનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
કોઈ મદદ મળી નથી
પરિવારના સભ્યોએ કહ્યું, 'અમને ત્યાં પણ કોઈ પ્રકારની મદદ મળી નથી. અમને રાજ્યના આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું. પરિવારજનોએ જણાવ્યું હતું કે, જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર પર ફોન કરવામાં આવ્યો ત્યારે ત્યાંથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. આ પછી પરિવારના સભ્યોએ અનેક જગ્યાએ સંપર્ક કર્યો. જોકે ત્યાંથી પણ કોઈ મદદ મળી ન હતી.
ફ્રીજરમાં વ્યવસ્થા કરાઈ
આ પછી પરિવારે અંતિમ વિધિ સુધી શરીરને ફ્રીઝરમાં રાખવાની વ્યવસ્થા કરી હતી. ત્યારે વૃદ્ધની તપાસનો રિપોર્ટ મંગળવારે આવ્યો. જેમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ હતી. આ પછી આરોગ્ય વિભાગનો પરિવારજનોને બુધવારે ફોન આવ્યો અને તેઓએ આખી વાત જણાવી. જે બાદ ફરીથી કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના લોકો આવ્યા અને અંતિમ સંસ્કાર માટે મૃતદેહને લઈ ગયા.