મધ્યપ્રદેશમાં એક શખ્સે દારુ પીવા પર નશો ન ચડતા તેમાં પાણી મિક્સ કર્યું હોવાની મંત્રીને ફરિયાદ કરી છે. જાણો વિગતવાર
દારુ પીધા બાદ ન ચઢ્યો નશો
શખ્સે દારુમાં પાણી મિક્સ કર્યું હોવાની મંત્રીને કરી ફરિયાદ
મધ્યપ્રદેશની ઘટના
દારુ પીધા બાદ ન ચઢ્યો નશો
મધ્ય પ્રદેશનાં ઉજ્જૈનનાં રહેવાસી 42 વર્ષીય એક વ્યક્તિએ અધિકારીઓને ફરિયાદ કરી છે કે એક દુકાનથી તેને કથિત રૂપે મિલાવટ વાળો દારુ વહેંચવામાં આવ્યો છે કેમકે તેને પીધા બાદ નશો ચઢ્યો જ નહીં. આ ફરિયાદ બાદ અધિકારીઓને મામલાની તપાસ કરવાનો આદેશ મળ્યો છે. ઉજ્જૈનનાં બહાદૂર ગંજ એરિયાનાં નિવાસી લોકેશ સોઠીયાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે તેમણે 12 એપ્રિલના રોજ અહી એક દુકાનથી દેશી દારુની ચાર બોટલો ખરીદી હતી.
નશો ન ચઢાવા પર શખ્સે અધિકારીઓને કરી ફરિયાદ
લોકેશ સોઠીયાએ જણાવ્યું કે મારા મિત્રો અને મેં તે બોટલોમાંથી બેમાંથી દારૂનું સેવન કર્યું, પરંતુ મને નશો ચઢ્યો જ નહીં. લોકેશ સોઠીયા પાર્કિંગ સ્થળનું સંચાલન કરે છે. વ્યક્તિએ દાવો કર્યો કે બોટલોમાં દારુ સાથે પાણી મિક્સ હતું. તેમણે કહ્યું કે મેં બે અન્ય બોટલોની સીલ હજુ સુધી ખોલી નથી અને હવે જરૂરી હશે તો સાબિતી રૂપે રજુ કરીશ. ખાદ્ય પદાર્થ, તેલ અને અન્ય વસ્તુઓમાં મિલાવટનાં સમાચારો આવતા રહે છે, પરંતુ હવે દારુમાં પણ આવું કરવામાં આવે છે. આ યોગ્ય નથી. હું ઉપભોક્તા ફોરમમાં જઈશ.
મામલાને ઉપભોક્તા ફોરમમાં લઇ જવા માટે શખ્સની જીદ
લોકેશે કહ્યું કે તે ગયા બે દશકાઓથી દારુનું સેવન કરે છે અને તેના સ્વાદ અને ગુણવત્તા વિષે સારી રીતે જાણે છે. તેઓ જણાવે છે કે મેં મધ્યપ્રદેશનાં ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રા અને ઉજ્જૈનનાં ઇન્દર સિંહ ડામોરને મને વહેંચવામાં આવેલ દારુ વિષે ફરિયાદ કરી છે. આ વિષે પૂછવામાં આવતા ઇન્દર સિંહ ડામોરે જણાવ્યું કે મેં મામલાની તપાસ કરવાનો આદેશ મારી હેઠળનાં કર્મચારીઓને આપ્યો છે. તપાસમાં જે સામે આવશે, તે અનુસાર, કાર્યવાહી કરવામાં આવશે.
શખ્સનાં વકીલનું નિવેદન
સોઠીયાનાં વકીલ નરેન્દ્ર સિંહ ધાકડેએ જણાવ્યું કે લોકેશ સોઠીયા સાથે થયેલ છેતરપિંડીનું પ્રકરણ અમે ઉપભોક્તા ફોરમમાં લઇ જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે મારા ક્લાઈન્ટનો પેઈડ પાર્કિંગનો વ્યવસાય છે, તેઓ વર્ષોથી દારુ પીવે છે, આ માટે તેમને દારૂની ઓળખાણ છે.