સુરતમાં એક કરૂણ ઘટના ઘટી છે. બેંકમાં કામ કરનાર એક યુવાને ધાબા પર જઈને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.
સુરતમાં યુવાનનો આપઘાત
ફેબ્રુઆરીમાં હતા લગ્ન
પરિવાર શોકમાં ગરકાવ
કોઈ પણ બાપ માટે પોતાના દીકરાને આમ લટકતી હાલતમાં જોવું અશક્ય છે. પણ સુરતમાં એક ગોઝારી ઘટના ઘટી છે જેમાં આવતા મહિને જેના લગ્ન લેવાયા હતા તે યુવાને મોત વહાલું કરી લેતા માતા-પિતા અને મંગેતરના આંસૂ રોક્યા રોકાતા નથી. યુવકે પોતાના જ ઘરના ધાબા પર જઈને ગળેફાસો ખાધો છે. અને મરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી જેમાં તેના અંતિમ શબ્દો હતો કે મમ્મી-પપ્પા મને માફ કરજો’
પોલીસ સૂત્રોના જણાવ્યાઅનુસાર અડાજણ, ટેકરાવાલા સ્કૂલ પાસે આવેલી કસ્તુરબા સોસાયટીમાં રહેતો પાર્થ જનકકુમાર મોદી (ઉ.વ. 27) મજૂરાગેટ ખાતેની કેનેરા બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. ગયા સોમવારે પાર્થે ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રાત્રીના બારેક વાગ્યાના અરસામાં તેની નાની બહેનપણી પાણી પીવા માટે ઉઠી હતી, ત્યારે પાર્થ રૂમમાં નહીં દેખાતા પિતા અને તેના મિત્રોને ફોન કર્યો હતો પરંતુ ક્યાંક તેની ભાળ મળી નહોતી. પાર્થ ધાબા પર લટાર મારવા ગયો હશે, એવી શંકા સાથે પિતા જનકકુમાર ધાબા પર તપાસ કરતાં તેની ફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ દેખાઈ હતી.
પિતાની હૈયા વરાળ
મનોજભાઈએ રડતાં રડતાં જણાવ્યું હતું કે, પાર્થે આપઘાત કરતાં પહેલાં, મમ્મી-પપ્પા મને માફ કરજો’ એવા શબ્દો સાથે માતાપિતા, નાની બહેન અને ફિયાન્સીને સંબોધીને સ્યુસાઈડ નોટ લખી હતી.