બે માસૂમ દીકરીઓનો પણ વિચાર કર્યા વગર ગઇ કાલે શાહપુરમાં રહેતા એક પિતાએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.
નીરવ પ્રવીણચંદ્ર શાહ પત્ની અને બે દીકરી સાથે રહે છે
ક્રિકેટ સટ્ટાની લતને કારણે તેણે આ પગલું ભર્યું હોય તેવી ચર્ચા
વિશીના રૂપિયા લઈ લેતાં નીરવ ભાંગી પડ્યો હતો
પ્રાથમિક તપાસમાં મરનાર વ્યકિતને આર્થિક સંકડામણ હોવાનું સામે આવ્યું છે ત્યારે શાહપુર પોલીસે તેની આત્મહત્યાનું ચોક્કસ કારણ શોધવા માટે તજવીજ શરૂ કરી છે.
શાહપુર વિસ્તારમાં આવેલા દરવાજાના ખાંચામાં નીરવ પ્રવીણચંદ્ર શાહ પત્ની અને બે દીકરી સાથે રહે છે. નીરવે ગઇ કાલે પોતાના ઘરમાં ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. નીરવની પત્ની અને બે દીકરી ઘરે હાજર હતાં ત્યારે તેણે આપઘાત કરી લીધો છે. આપઘાતની જાણ શાહપુર પોલીસને થતાં તે તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને નીરવની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
ક્રિકેટ સટ્ટાની લતને કારણે તેણે આ પગલું ભર્યું હોય તેવી ચર્ચા
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે નીરવે આર્થિક સંકડામણથી કંટાળીને આત્મહત્યા કરી છે. હજુ સુધી પોલીસને કોઇ સ્યુસાઇડ નોટ મળી નથી. સ્થાનિક સૂત્રોનાં જણાવ્યા અનુસાર નીરવને એક વર્ષ પહેલાં દેવું થઇ જતાં તે ઘર છોડીને જતો રહ્યો હતો. ક્રિકેટ સટ્ટાની લતને કારણે તેણે આ પગલું ભર્યું હોય તેવી ચર્ચા ચાલી રહી છે.
વિશીના રૂપિયા લઈ લેતાં નીરવ ભાંગી પડ્યો હતો
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મૃતક નીરવે અન્ય જગ્યાએથી રૂપિયા ઉછીના લીધેલા હતા, જે તેણે ગઈ કાલે ચૂકવવાનો વાયદો કર્યો હતો. નીરવ વિશીના હપતા ભરતો હતો, જેથી તેને ગઈ કાલે વિશીના રૂપિયા મળવાના હતા, પણ તેના એક મિત્રએ વિશીના રૂપિયા લઈ લેતાં નીરવ ભાંગી પડ્યો હતો, જેના કારણે તેણે આત્મહત્યા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.