સામાન્ય રીતે પતિનો ત્રાસ હોય અને પત્નીએ કંટાળીને આપઘાત કર્યો હોવાની ઘટના જોવા મળતી હોય છે. પણ નરોડા માં એવી ઘટના બની જેમાં પત્ની અને સાસુ ના ત્રાસથી કંટાળી પતિએ આપઘાત કરી લીધો. યુવકના આપઘાત બાદ પત્ની અને સાસુની તો ધરપકડ કરાઈ પણ આ યુવકના નાના બાળકનું શુ તે સવાલ થઈ રહ્યો છે.
નરોડામાં પત્નીના ત્રાસથી પતિનો આપઘાત
34 વર્ષના અનીલ પંડ્યાએ કર્યો આપઘાત
પત્નીના ત્રાસ અંગે માસીને મેસેજ કર્યો હતો
34 વર્ષીય અનીલ પંડ્યા એ પત્નિ અને સાસુ દ્વારા પૈસાની માંગણી કરીને મારઝુડ કરતા તેઓને લાગી આવતા તેમણે 5 જાન્યુઆરીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈને આપધાત કર્યો.. જે આક્ષેપ આધારે મૃતકની પત્ની અને સાસુની સામે મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી. તપાસમાં સામે આવ્યું કે અનિલ પંડયા ઘણા વર્ષથી તેમના પરિવારથી અલગ રહે છે અને પાંચેક વર્ષથી તેને પ્રિયા ઉર્ફે સોફિયા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા છે અને છેલ્લા એક માસથી તે નરોડામાં આવેલી દેવનંદન સંકલ્પ સીટી ખાતે રહેતો હતો
અનિલ ગાડીઓ સિઝ કરવાનું કામ કરતો હતો. 5 વર્ષ પહેલા અનિલ પંડ્યાએ પ્રિયા ઉર્ફે સુફિયા સાથે પ્રેમલગ્ન કર્યા. ગાડીઓ સીઝ કરવાનુ કામ કરતા અનિલનાં સાસુ શીલ્પીબેન અવારનવાર તેની પાસેથી ઉછીનાં પૈસાની માંગણી કરતા હતા. તેમજ બે મહિનાં પહેલા યુવકે તેની સાસુને પૈસા ન આપતા પત્નિએ તેને સાણસી પણ મારી હોવાની ઘટના બની હતી.
મૃતકની પત્નીની ધરપકડ કરાઈ
જે બાબતે પણ નરોડામાં ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં મૃતકની પત્નીની ધરપકડ કરાઈ હતી. ચાર મહિનાં પહેલા અનિલે પોતાનાં ફોનમાંથી તેના માસીને વોઇસ રેકોર્ડ કરીને મેસેજ પણ મોકલ્યો હતો.
મે અનિલ પંડ્યા બોલ રહા હુ
જેમાં તેણે કહ્યુ હતુ કે “મે અનિલ પંડ્યા બોલ રહા હુ, આજસે મુજકો કુછ ભી હો જાયે તો ઉસકી જિમ્મેદારી મેરી ઓરત કી હે.. વો મેરે અંદર કા જીસ્મ દબા ચુકી હે ઓર મેરા લીવર ભી ફેલ કરને કી કોશીશ કી હે". આટલું જ નહીં પૈસાની માંગણી કરીને સાસુ શિલ્પાબેન તેમજ યુવકની પત્નિ પ્રિયા ઉર્ફે સોફિયા દ્વારા પૈસા કમાવવાની તાકાત ન હોય તો મરી જા તેમ કહી ઝધડો પણ કરતા હોવાનું તપાસ માં ખુલ્યું.
પતિ પત્નીના ઝઘડાનો કરુણ અંજામ
પતિ પત્નીના ઝઘડાનો કરુણ અંજામ આવ્યો. જોકે મૃતક ને સંતાનમાં એક બાળક છે. આ બાળકના પિતા નું મૃત્યુ થયું અને માતા જેલ હવાલે થશે ત્યારે તેનું કોણ તે બાબત નોંધનીય બની છે