આરોપી પોતાના સાથીઓની સાથે ઘણી સમયથી ખેડૂત આંદોલનમાં શામેલ હતો. કૃષ્ણ પર આરોપ છે કે તેણે પોતાના 3 અન્ય સાથીઓની સાથે મળીને કસાર ગામ નિવાસી મુકેશને જીવતો સળગાવી દીધો.
ખેડૂત આંદોલન સ્થળ પર શખ્સને જીવતો સળગાવવામાં આવ્યો
પોલીસે મુખ્ય આરોપીની કરી ધરપકડ
વ્યક્તિને જીવતો સળગાવતા વિવાદ થયો હતો
હરિયાણાના બહાદુરગઢ વિસ્તારમાં ખેડૂત આંદોલનમાં શામેલ એક વ્યક્તિને જીવતો સળગાવી દેવાનો કિસ્સો સામે આવ્યો હતો તેમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. સેક્ટર-6 થાના પોલિસ, આરોપીને આજે કોર્ટમાં રજૂ કરશે. આરોપીની ઓળખ જીંદ જિલ્લાના ગામ રાયચંજ રહેવાસી કૃષ્ણ તરીકે કરવામાં આવી રહી છે.
આરોપી પોતાના સાથીઓની સાથે ઘણા સમયથી ખેડૂત આંદોલનમાં જોડાયેલો હતો. કૃષ્ણ પર આરોપ છે કે તેણે પોતાના 3 અન્ય સાથીઓની સાથે મળીને કસાર ગામ રહેવાસી મુકેશને જીવતો સળગાવીને તેની હત્યા કરી દેવામાં આવી. આ પહેલા ગુરુવારે મૃતકના પરિવારે લગભગ ડોઢ કલાક સુધી દિલ્હી-રોહતક નેશનલ હાઈવે જામ કરી દીધો હતો. પોલીસ હાલ આ મામલામાં અન્ય આરોપીઓને ધરપકડ કરવાનો પ્રયત્ન કરી રહી છે.
શું છે સમગ્ર ઘટના?
હરિયાણાના બહાદુરગઢમાં ખેડૂત આંદોલનમાં શામેલ લોકોએ મુકેશને જીવતો સળગાવી દીધો હતો. તેણે ખેડૂત આંદોલનમાં શામેલ 4 લોકોની સાથે આંદોલન સ્થળ પર દારૂ પીધો હતો. ત્યાર બાદમાં ઝગડામાં આરોપીઓએ મુકેશ પર તેલ નાખીને આગ ચાંપી દીધી હતી.
શહીદ બતાવવાનો પ્રયત્ન
મહત્વનું છે કે આરોપીઓએ મુકેશની હત્યા બાદ તેને શહીદ બતાવવાનો પ્રયત્ન કર્યો. હકીકતે પ્રદર્શનકારીઓએ એવું જણવવા ઈચ્છતા હતા કે કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં મુકેશે પોતાને આગ લગાવી.
મૃતકના પરિવારનો શું છે આક્ષેપ?
મૃતક મુકેશના પરિવારે સીધો આરોપ લગાવ્યો છે કે ઘટનાના ચારે આરોપી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની પાસે ટિકરી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનનો ભાગ છે. પોસ્ટમોર્ટમ બાદ ગ્રામીણોને મુકેશના શબને સિવિલ હોસ્પિટલની સામે મુકીને પ્રદર્શન પણ કર્યું હતું. પોલીસે આ મામલામાં કેસ દાખલ કર્યો છે.