40 વર્ષથી રોજની 12 કલાકની સેવા અને એ પણ એક રૂપિયાના પગાર વગર. માનવું જરા અઘરું છે, પણ વાત સાચી છે. અરવલ્લી જિલ્લામાં એક વરિષ્ઠ નાગરિકો પોતાનું જીવન ગામની શાળાને જાણે અર્પિત કરી દીધું છે. માત્ર શાળા જ નહીં પરંતુ આખા ગામની સેવા પાછળ 70 વર્ષની વયે પણ રોજ 12 કલાક કામ કરે છે અને એ પણ વગર મહેનતાણે. નિસ્વાર્થ સેવાની જીવતી જાગતી મિસાલ કોવી હોય તે જાણવા આપણે તેમને જ મળવું પડશે.
બાયડ તાલુકાના શણગાલ ગામની આ પ્રાથમિક શાળામાં કામ કરી રહેલા આ વૃદ્ધજન છેલ્લા 40 વર્ષથી આ પંથકમાં નિસ્વાર્થ સેવાની મિસાલ બની રહ્યા છે. હજારો રૂપિયા પગાર દેતા પણ કાોઈ આટલું નિસ્વાર્થ બની કામ ન કરી શકો પરંતુ 70 વર્ષીય આ વાઘજીભાઈ ઝાલા કાોઈ જુદી જ માટીના બનેલા છે. નહિતર આ સ્વાર્થના જમાના કોઇ ગાંઠનુ ગોપીચંદન ઘસીને દુનિયાની સેવા કોણ કરે? પરંતુ દુનિયાદારી અંગેની આપણી ફિલસૂલી આ વાઘજીભાઈ ઝાલા જેવા ઓલિયાને માફક આવતી નથી.
70 વર્ષની ઉંમરે પણ તેઓ નિયમિત રીતે શણગાલ ગામની શાળામાં વૃક્ષો સાથે મહોબત કરી રહ્યા છે. વાત શાળાની સફાઈની હોય કો ફૂલછોડના ક્યારામાંથી નિંદામણ કરવાની વાત હોય. વાઘજીભાઈની સ્ફૂર્તિ હમેંશા તેમની સાથે જ હોય છે. માત્ર શાળાની જ નહી પરંતુ ગામમાં પણ જ્યાં પણ તેમની મદદની જરૂર હોય ત્યાં જાતે જ પહોંચીને પોતાની મદદ આપે છે.
વાઘજીભાઈએ પોતાના આયખાનો એક મોટો ભાગ ગામની શાળાની સેવા કરવા પા]ળ ખર્ચી નાખ્યો છે અને હજુપણ તેઓ સેવા કરી રહ્યા છે. કહો કો તે એક વ્યક્તિ મટી સાક્ષાત જ્ઞાન અને પ્રેરણાનું મંદિર બની ગયા છે. તેમને જેટલો ફૂલછોડને પાણી પાવામાં આનંદ આવે છે તેટલો જ તેમને બાળકોને પણ પાણી પાવામાં આનંદ આવે છે. તેઓ શાળાની સફાઈનું કામ પણ એ રીતે કરે છે જાણે તેમને કાોઈ અલૌકિક નિજાનંદ મળતો હોય. એક પણ રૂપિયાના વળતર વગર આ રીતે શાળા અને ગામની સેવા પાછળ જીવન લગાવી દેવું એ કોઈ નાનીસૂની વાત નથી.
એવું નથી કો, વાઘજીભાઈને કોઈ કોટુંબિંક જનો નથી. આ શણગાલ ગામમાં તેમનો પરિવાર રહે છે. આજના કહેવાતા સાધુ સંતો પણ પોતાના ભક્તો પાસે દાન-દક્ષિણાની અપેક્ષા રાખે છે. પરંતુ વાઘજીભાઈ જેવા સંસારીજન ઘરના રોટલા ખાઈને સંસારની સેવા કરી રહ્યા છે. વાઘજીભાઈ વર્ષોથી શાળાની અને ગામની સેવા કરે છે પરંતુ ક્યારેય કોઈ પાસે નાણાકીય કે અન્ય મદદ માગી નથી. એટલે સુધી કો પોતાના ઘરેથી જે ટિફિન આવે તે જ જમે છે.
શાળા તરફથી આજ સુધી તેમણે ક્યારેય કાોઈ લાભ લીધો નથી. વાઘજીભાઈ આત્માથી શાળાની સેવા સાથે એવાતો ઓતપ્રોત થઈ ગયા છે. કો તેઓ પોતાના ઘરના સામાજિક પ્રસંગોમા પણ હાજરી આપતા નથી. એટલે સુધી કો તેઓ પોતાના પૌત્રની જાનમા પણ ગયા ન હતા.
વાઘજીભાઈ ઝાલા આધુનિક યુગમાં નિસ્વાર્થ સેવાની જીવતી જાગતી મિસાલ બની ગયા છે. પોતાની નિસ્વાર્થ સેવાભાવનાથી ગામમા તેઓ સૌકાોઈ પાસેથી આદર અને સન્માનના હકદાર બની ગયા છે.