એક સ્મશાનયાત્રા પર લઇ જવામાં આવી રહેલ શવમાં અચાનક જ ચેતના આવી ગઇ એટલે કે અચાનક જ જીવ આવી ગયો. ડૉક્ટરોએ જે યુવકને મૃત જાહેર કરી દીધો હતો તે અચાનક જ જીવતો થઇ ગયો. રવિવારનાં સવારનાં રોજ અચાનક તેનાં શ્વાસ ચાલવાનાં બંધ થઇ ગયા. ડૉક્ટરે તેને મૃત જાહેર કરી દીધો.
રાજ્યનાં પાલનપુરની એક અનોખી ઘટના સામે આવી છે. અહીં એક સ્મશાનયાત્રા પર લઇ જવામાં આવી રહેલ શવમાં અચાનક જ ચેતના આવી ગઇ એટલે કે અચાનક જ જીવ આવી ગયો. ડૉક્ટરોએ જે યુવકને મૃત જાહેર કરી દીધો હતો તે અચાનક જ જીવતો થઇ ગયો. આ હેરાન કરી નાખનારી ઘટના પાલનપુરનાં જનતાનગરની છે. અહીં મજૂરી કરનાર નદીમ નાગોરીને લૂ લાગ્યા બાદ તેને મહાજન હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. રવિવારનાં સવારનાં રોજ અચાનક તેનાં શ્વાસ ચાલવાનાં બંધ થઇ ગયા. ડૉક્ટરે નદીમને મૃત જાહેર કરી દીધો.
નદીમનાં પરિવારવાળા તેનાં મોતથી તેઓ શોકમાં આવી ગયા. તેઓનું સંપૂર્ણ પરિવાર દુઃખની લાગણીમાં ડૂબી ગયું. સંબંધીઓને નદીમનાં મોતનાં સમાચાર આપવામાં આવ્યાં. ત્યાર બાદ નદીમની સ્મશાનયાત્રાની તૈયારી કરવામાં આવી. નદીમની સ્મશાનયાત્રા જ્યારે કબ્રસ્તાન પહોંચી ત્યારે તેનાં શવને દફનાવાની તૈયારી ચાલી રહી હતી અને અચાનક લોકોએ ત્યાં જોયું તો તેનાં શ્વાસ ચાલવા લાગ્યાં.
ત્યાર બાદ તેને એકાએક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં. તેનાં શરીરમાં એકાએક ચેતના આવવા લાગી. બાદમાં ડૉક્ટરે પણ નદીમને બચાવવાની કોશિશ કરી પરંતુ તેને ફરી વાર પોતાનો દમ તોડી નાખ્યો.
ત્યારે પરિવારનાં લોકોનો એવો આરોપ છે કે મહાજન હોસ્પિટલનાં ડૉક્ટરે નદીમને સવારનાં 8 કલાકે જ મૃત જાહેર કરી દીધો હતો. પરંતુ તે 12 કલાક સુધી જીવિત હતો. ત્યાર બાદ તેનું મોત થયું છે. આ મામલામાં હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલકોએ હાલમાં આ મામલે કંઇ પણ કહેવાની ના કહી દીધી છે.