પશ્ચિમ બંગાળનાં Nadia ના Hanskhali માં સગીરા સાથે કથિત દુષ્કર્મ અને હત્યાના કેસમાં CM મમતા બેનર્જીએ આપેલ નિવેદનના કારણે વિવાદ ઊભો થયો છે.
પશ્ચિમ બંગાળના નદીયા જિલ્લાની આઘાતજનક ઘટના
સગીરા સાથે કથિત સામૂહિક દુષ્કર્મ અને મોતનો કેસ
CM મમતા બેનરજીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન
પશ્ચિમ બંગાળના નદીયા જિલ્લામાં હંસખલીમાં એક જન્મદિવસની પાર્ટીમાં એક સગીરાના કથિત સામૂહિક દુષ્કર્મ અને મોતના સમાચાર પોલીસ રવિવારે આપ્યા હતા.
આ સગીરાના પરિવારે દાવો કર્યો હતો કે આ મામલે આરોપી તૃણમૂલ કોંગ્રેસનાં એક પંચાયત સદસ્યનો દીકરો પોતે જ છે અને બાદમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.
સગીરાના પરિવારના આ દાવા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વિવાદમાં ઝંપલાવતા કહ્યું હતું કે, 'તમને કેવી રીતે ખબર કે તેની સાથે દુષ્કર્મ જ થયું છે અને શું એ ગર્ભવતી હતી કે કોઈ લવ અફેરનો મામલો હતો. કે પછી તેણી બીમાર હતી? તેમણે કહ્યું હતું કે જો કપલ રિલેશનશીપમાં હોય તો આપણે તેઓને કેવી રીતે રોકી શકીએ?
The child commission will investigate the Nadia minor rape & murder case: West Bengal Chief Minister Mamata Banerjee
તેમણે વધુમાં કહ્યું હતું કે આ ઉત્તરપ્રદેશ નથી. હું લવ જેહાદના નામે આવું ન કરી શકું. મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે બાલ આયોગ આ મામલે રેપ અને હત્યાની તપાસ કરશે.
ઉલ્લેખનીય છે કે છોકરીના પરિજનોએ આરોપ લગાવ્યો છે કે, તેમની દિકરી એક બર્થ ડે પાર્ટીમાં ગઈ હતી, જ્યાં તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો છે. ઘરે પાછા આવ્યા બાદ છોકરીનું મોત થઈ ગયું હતું. છોકરીના પરિવારના લોકોએ દાવો કર્યો છે કે, મુખ્ય આરોપી ટીએમસીનો છે અને તે એક પંચાયતના સભ્યનો દિકરો છે. આરોપીની ધરપકડ કરીને તેની તપાસ થઈ રહી છે.
આ મામલે ભાજપના અમિત માલવિય દ્વારા ટ્વિટ કરીને આ નિવેદનને આઘાતજનક ગણાવવામાં આવ્યું હતું.
Shocking statement by Bengal CM Mamata Banerjee, who trivialises the brutal rape and murder of a 14 year old girl in Nadia’s Hanskhali. She questions the victim and asks if it was a love affair or a case of unplanned pregnancy gone awry!
નવમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની
નવમાં ધોરણની વિદ્યાર્થિનીની માતા-પિતાએ ઘટનાના ચાર દિવસ બાદ શનિવારે હંસખલી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર છોકરી સોમવારે બપોરે આરોપીના જન્મદિવસની પાર્ટીમાં ગઈ હતી. પણ ત્યાર બાદ તે ઘરે પાછી બિમાર હાલતમાં આવી હતી અને થોડી મિનિટો બાદ તેનું મોત થઈ ગયું હતું.
આરોપીની કરી ધરપકડ
આ મામલામાં મુખ્ય આરોપી બ્રજગોપાલ ઉર્ફ સોહેલ ગયાલીને પહેલા જ ધરપકડ કરી લેવામાં આવ્યો છે. અધિકારીઓએ કહ્યું કે, તેના પર બળાત્કાર, હત્યા અને પુરાવાને છુપાવાના ઉપરાંત પોક્સોના આરોપ પણ લગાવામાં આવ્યા છે. આ તમામની વ્ચચે મામલામાં કાયદાકીય હસ્તક્ષેપની માગ માટે કલકત્તા હાઈકોર્ટમાં બે જાહેરહિતની અરજી પણ દાખલ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે હાઈકોર્ટની બેંચ આ મામલે સુનાવણી કરી શકે છે.
લોહીથી લથબથ હતી
છોકરીની માતાએ કહ્યું કે, સ્થાનિક TMC નેતાના દિકરાના ઘરે પાર્ટીમાંથી પાછી આવ્યા બાદ અમારી દિકરીને અત્યંત લોહી વહી રહ્યું હતું અને પેટમાં ભારે દુખાવો પણ થતો હતો, તેથી અમે સૌથી પહેલા તેને હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં રસ્તામાં જ તેનું મોત થઈ ગયું હતું. પાર્ટીમાં હાજર લોકો સાથે વાત કર્યા બાદ અમને વિશ્વાસ છે કે, આરોપી અને તેના દોસ્તોએ સાથે મળીને તેની સાથે ગેંગરેપ કર્યો છે.
બળજબરીપૂર્વક કરાવ્યા અંતિમ સંસ્કાર
પરિવારના લોકોએ આરોપ લગાવ્યો છે કે, સગીરનું ડેથસર્ટિફિકેટ જાહેર થતા પહેલા જ તેના મૃતદેહના બળજબરીપૂર્વક અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. પરિવારે એવો પણ આરોપ લગાવ્યો છે કે, અમુક લોકોએ શરૂઆતમાં લોકોએ દિકરીને કોઈ સરકારી હોસ્પિટલ અથવા ખાનગી સ્વાસ્થ્ય કેન્દ્રમાં નહીં લઈ જવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે, તે કોઈ નકલી ડોક્ટર પાસે લઈ જઈને બતાવે. ઉપરાંત જન્મદિવસની પાર્ટીમાં તેણીને નશીલા પદાર્થ આપ્યાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.