ગૃહમંત્રી અમિત શાહના નિવેદન બાદ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. મમતા બેનર્જીએ કહ્યું, 'મને ખરેખર ખરાબ લાગે છે કે જ્યારે આપણે કોવિડ -19 અને અમ્ફાનના તોફાનો સામે લડી રહ્યા છીએ અને લોકોના જીવ બચાવવા માટે કામ કરી રહ્યા છીએ, ત્યારે કેટલાક રાજકીય પક્ષો અમને હટાવવાનું કહી રહ્યાં છે. મેં ક્યારેય કહ્યું નથી કે પીએમ મોદીને દિલ્હીમાંથી હટાવવા જોઈએ.
મમતા બેનર્જી આ મામલે પરેશાન ન થાઓ, 2021માં ભાજપ બંગાળમાં પૂર્ણ બહુમતથી આવશે: અમિત શાહ
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું, શું આ રાજકારણ કરવાનો સમય છે? છેલ્લા ત્રણ મહિનાથી તેઓ ક્યાં હતાં? અમે ગ્રાઉન્ડ પર કામ કરી રહ્યા હતા. પશ્ચિમ બંગાળ કોવિડ -19 અને કાવતરા વિરુદ્ધ એમ બંને સામે યુદ્ધ જીતશે. થોડા દિવસો પહેલા જ મમતા બેનર્જીએ કહ્યું હતું કે, જો કેન્દ્ર સરકારને તેમની સરકાર સાથે આટલી સમસ્યા છે, તો અહીં આવીને રાજ્ય સરકાર ચલાવી લે. મમતાના આ નિવેદન પર ગૃહ પ્રધાન અમિત શાહે જવાબ આપ્યો હતો કે મમતા બેનર્જી આ મામલે પરેશાન ન થાઓ, 2021માં ભાજપ બંગાળમાં પૂર્ણ બહુમતથી આવશે.
કેન્દ્રીય ટીમે કહ્યું હતું - બંગાળ સરકાર કોરોના વાયરસને ગંભીરતાથી નથી લઈ રહી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર કોરોનાવાયરસની કામગીરીમાં બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો હતો. થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં એક કેન્દ્રીય ટીમ મોકલી હતી. ટીમે જાહેર કર્યું હતું કે પશ્ચિમ બંગાળની સરકાર કોરોના વાયરસને ગંભીરતાથી નથી લઈ રહી અને ત્યાં વાયરસ બેકાબૂ બની રહ્યો છે. આ દરમિયાન, કેન્દ્ર અને મમતા બેનર્જી વચ્ચે અનેક વખતે હુંસાતુસી જોવા મળી ચૂકી છે.