આજે કોલકત્તામાં મમતા બેનરજીની વિશાળ જનસભા યોજાનાર છે. ભાજપ સામે મહાગઠબંધનની તૈયારીના ભાગરૂપે મમતા બેનરજીએ જનસભાનું આયોજન કર્યું છે.
મમતા બેનરજીએ વિપક્ષી એકતાનો પરચો દેખાડવા અને પોતાને વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર પ્રસ્થાપિત કરવા માટે રેલીનું આયોજન કર્યું છે. મમતા બેનરજીની જનસભાને અખિલેશ યાદવ માયાવતિ શરદ પવાર અને અરવિંદ કેજરીવાલ વગેરે સમર્થન આપશે.
જ્યારે મમતાની આ જનસભાને કોંગ્રેસ પણ સમર્થન કરશે પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમાં હાજર નહી રહે. રાહુલની જગ્યાએ કોંગ્રેસમાંથી મલ્લિકાર્જૂન ખગડે રેલીમાં જોડાશે.
મહત્વનું છે કે રાહુલનું રેલીમાં હાજર ન રહેવુ તેની પાછળનું કારણ વડાપ્રધાન પદની દાવેદારી માનવામાં આવે છે.
આજે કોલકત્તામાં મમતા બેનર્જીની વિશાળ જનસભા છે. ત્યારે ગુજરાતના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પાસ નેતા હાર્દિક પટેલ આ જનસભામાં ભાગ લેવા માટે કોલકત્તા પહોંચ્યા છે.
આ અંગે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે દેશમાં જે સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે. દેશમાં લોકતંત્ર બંધારણ પર છેલ્લા સાડા ચાર વર્ષમાં હુમલો થયો છે તેવો ક્યારેય થયો નથી.
જ્યારે હાર્દિકે કહ્યું કે વિપક્ષોને એકજૂટ કરવાનો પ્રયાસ છે અને તેમને મજબૂત બનાવવા આ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.