પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર કેન્દ્રીય એજન્સીઓનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.
પશ્ચિમ બંગાળના સીએમે વિપક્ષને લખ્યો પત્ર
તમામ મુખ્યમંત્રીઓને આ વાત કહી
મોદી સરકાર પર લગાવ્યો ગંભીર આક્ષેપ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર કેન્દ્રીય એજન્સીઓનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. તેની સાથે જ તેમણે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને ભગવા પાર્ટીને ટક્કર આપવા એકૂજટ થવાનું પણ કહ્યું છે. જે નેતાઓને તેમણે પત્ર લખ્યો, તેમાં રોઈ પણ ભાજપના નેતાઓ સામેલ નથી. તેમણે કેન્દ્રીય એજન્સીઓ પર રાજકીય દુશ્મનાવટનો આરોપ લગાવતા આ બેઠક બોલાવી છે.
બંગાળ સીએમે પત્રમાં લખ્યું છે કે, ઈડી, સીબીઆઈ, કેન્દ્રીય સતર્કતા એજન્સી આયોગ અને ઈન્કમ ટેક્સ વિભઆગનો ઉપયોગ બદલો લેવા માટે દેશભરમાં રાજકીય વિરોધીઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે. તેમને હેરાન કરવા અને તેમનો ઘેરાવ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. એટલા માટે અમે તમામ મળીને ભાજપને કેન્દ્રીય એજન્સીઓને દુરૂપયોગ કરતા રોકવા માગીએ છીએ. જ્યારે ચૂંટણી નજીક આવે છે, તો કેન્દ્રીય એજન્સીઓ હરકતમાં આવી જાય છે.
લોકતંત્ર માટે ખતરનાક
આ પત્રમાં મમતા બેનર્જીએ લખ્યું છે કે, ન્યાયપાલિકા માટે મારા મનમાં સૌથી મોટુ સન્માન છે. પણ હાલમાં અમુક પક્ષપાતપૂર્ણ રાજકીય હસ્તક્ષેપોના કારણે લોકોને ન્યાય નથી મળી રહ્યો, જે આપણા લોકતંત્ર માટે ખતરનાક છે. અમારી લોકતાંત્રિક વ્યવસ્થામાં ન્યાયપાલિકા, મીડિયા અને જનતા મહત્વપૂર્ણ સ્તંભ છે.
વિપક્ષને એક કરવાનો પ્રયાસ
આ પત્રમાં મમતા બેનર્જીએ તમામ રાજ્યોના સીએમને લખ્યું છે કે, હું આગ્રહ કરવા માગુ છુ કે, આપણે બધાં એક બેઠક માટે તમામ સુવિધઆ અનુસાર એક જગ્યાએ આગળના રસ્તા માટે વિચાર વિમર્શ કકરવા માટે એકઠા થઈએ. આ દેશની તમામ પ્રગતિશીલ શક્તોઓને એક સાથે લાવવાની જરૂર છે અને આ દમનકારી તાકતોથી લડવાનો સમય છે. મમતા બેનર્જીએ દેશભરના તમામ વિપક્ષી નેતાઓ અને વિપક્ષી મુખ્યમંત્રીઓને પત્ર લખતા આ અનુરોધ કર્યો છે.