દેવભૂમિ દ્વારકાઃ ખંભાળીયામાં ફટાકડાના લાયસન્સ મુદ્દે અજાણ્યા શખ્સો દ્વારા હુમલો થયા બાદ રજા પર ઉતરેલા અધિકારીને ચારેય તરફથી હેરાનગતિ વધી રહી છે.
રાજકીય દબાણ બાદ હવે આંતરિક લેવલ પર મામલતદાર ચિંતન વૈષ્ણવને હેરાનગતીનો સામનો કરવો પડી રહ્યો છે. 7 વર્ષમાં 10 વખત બદલીનો રેકોર્ડ ધરાવતા કડક અધિકારીએ ખંભાળીયામાં 100 કરોડના જમીન કૌભાંડને બહાર પાડ્યો હતો.
ત્યાર બાદ હુમલો થયો અને હવે તેમનો પગાર રોકી દેવામાં આવ્યો છે. ફેબ્રુઆરી માસથી બિલોમાં ક્ષતિ કાઢીને છેલ્લા ચાર માસથી પગાર રોકી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મામલતદાર ચિંતન વૈષ્ણવનો પગાર રોકી રખાયો છે. જિલ્લા તિજોરી અધિકારી દ્વારા પગાર કરવામાં આવ્યો નથી. મામલતદાર ચિંતન વૈષ્ણવનો ફેબ્રુઆરી માસથી બિલોમાં ક્ષતિ કાઢી અને છેલ્લા ચાર માસથી પગાર રોકી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
ખંભાળીયા ફટાકડાના લાઇસન્સ મુ્દે અજાણ્યા શખ્સો દ્વારા હુમલો થયા બાદ રજા ઉપર ઉતરી ગયેલા કડક અધિકારીને ચારે તરફથી હેરાનગતી વધી છે. રાજકીય દબાણ બાદ આંતરિક અધિકારી લેવલ પર હેરાનગતી વધી છે. 7 વર્ષમા 10 વખત બદલીનો રેકોર્ડ ધરાવતા કડક અધિકારીએ ખંભાળીયામાં 100 કરોડના જમીન કૌભાંડ બહાર લાવ્યા હતા. જેને લઇ કેટલાય સમયથી ચર્ચામા હતાં. આવા સમયે હુમલા બાદ પગાર રોકી દેવાતા અધિકારીઓમાં રોષ વ્યાપ્યો છે.