ટીએમસીમાં સામેલ થયા પછી તરત જ યશવંત સિંહાએ કંધાર વિમાન અપહરણ કાંડ પર એક મોટો દાવો કર્યો છે.
1999 માં આતંકીઓ ભારતીય વિમાનને અપહરણ કરીને કંધાર લઈ ગયા હતા
કંધાર અપહરણના 22 વર્ષ બાદ યશવંતસિંહાએ મોં ખોલ્યું
ભારતીયોના હેમખેમ છૂટકારા માટે મમતા જાતે આતંકીઓની કેદમાં જવા તૈયાર હતા-યશવંત સિંહા
યશવંત સિંહાએ જણાવ્યું કે જ્યારે 1999 માં કંધારમાં ભારતીય વિમાનનું અપહરણ કરાયું ત્યારે મમતાએ તમામ બંધક ભારતીયોના બદલામાં પોતાની જાતને બંધક બનાવવાની શરત મૂકી હતી.
સિંહાએ કહ્યું કે હું આજે તમને જણાવવા માગું છું કે જ્યારે ઈન્ડીયન એરલાઈન્સનું વિમાનનું અપહરણ કરી લેવાયું અને જે આતંકવાદી હતા, તેઓ તેને કંધારમાં લઈ ગયા હતા. ત્યારે કેબિનેટમાં એક દિવસ ચર્ચા થઈ રહી હતી કે મમતાજીને ઓફર કરી કે તેઓ જાતે બંધક બનવા તૈયાર છે ત્યાં જઈને. અને શરત એ છે કે જે ભારતીયો બંધક છે તેમને આતંકીઓ છોડી મૂકે અને તેઓ (મમતા) આતંકીઓના કબજામાં ચાલ્યા જશે, જે કુર્બાની આપવી પડશે, તે કુર્બાની દેશ માટે આપશે.
#WATCH | TMC Yashwant Sinha says, Mamata Banerjee wanted to offer herself as a hostage in exchange for passengers of the hijacked plane in 'Kandahar incident', for the country. pic.twitter.com/Pf1CBJGLyg
શું છે કંધાર કાંડ
24 ડિસેમ્બર 1999 ના દિવસે નેપાળની રાજધાની કાઠમંડુથી દિલ્હી જઈ રહેલા ઈન્ડીયન એરલાઈન્સના વિમાન આઈસી-814 નું પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન હરકત ઉલ મુજાહિદ્દીનના આતંકીઓએ અપહરણ કરી લીધું હતું. આતંકીઓે આ વિમાનને અમૃતસર, લાહોર અને દુબઈ ત્યાર બાદ છેક કંધાર લઈ ગયા હતા. આતંકીઓએ 176 પ્રવાસીઓમાંથી 27 ને દુબઈમાં ઉતારી મૂક્યા હતા. આતંકીઓએ રુપિન કાત્યાલ નામના એક પ્રવાસીને ચાકૂના ઘા મારીને મારી નાખ્યો હતો. આતંકીઓ કેદ ભારતીયોને છોડી મૂકવાના બદલામાં ત્રણ આતંકીઓ મસૂદ અઝહર, અહેમદ ઉમર સઈદ શેખ અને મુસ્તાક અહમદ ઝર્ગરને છોડી મૂકવાની શરત મૂકી હતી. અને ભારત સરકારે આ શરતને માનવી પણ પડી હતી અને આ 3 ખૂંખાર આતંકીઓને છેક કંધાર મૂકવા જવું પડ્યું હતું.
અટલ સરકારમાં નાણાંમંત્રી અને વિદેશમંત્રી રહી ચૂકેલા ભાજપના પૂર્વ કદ્દાવર નેતા યશવંત સિંહાએ મમતા બેનર્જીની પાર્ટીમાં એન્ટ્રી મારી લીધી છે. ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ થોડા સમયથી તેઓ સક્રિય રાજકારણથી દૂર હતા અને શનિવારે તેઓ કોલકાતા તૃણમૂલ કોંગ્રેસની ઓફિસ પહોંચ્યા ત્યાં જ પાર્ટીની સદસ્યતા સ્વીકાર કરી.