પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન કથિત હુમલા બાદ બુધવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીનો એક્સરે કરવામાં આવ્યો.
MRIના માધ્યમથી ઘાનું નિરિક્ષણ
રજા આપતા પહેલા તેમની સ્થિતિ પર નજર રાખવી જરુરી
ટીએમસી નેતાઓ ચૂંટણી આયોગમાં જવાનો નિર્ણય લીધો
મુખ્યમંત્રી મમતા બેનર્જીનો એક્સરે કરવામાં આવ્યો હોવાની ડોક્ટરોએ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીએ આ સરકારી હોસ્પિટલમાં વુડબર્ન વોર્ડના વિશેષ કેબિન નંબર 12.5માં લાવવામાં અને ત્યાં ચાલતી ફરતી મશીનની મદદથી તેમનો એક્સરે કરવામાં આવ્યો. બીજી તરફ મમતાના ભત્રીજા અને ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ મમતાની તસવીર ટ્વીટ કરી લખ્યું કે ભાજપ રવિવારે 2 મેએ બંગાળના લોકોની શક્તિને જોઈ પોતાને કોસશે.
MRIના માધ્યમથી ઘાનું નિરિક્ષણ
એક વરિષ્ઠ ડોક્ટરે જણાવ્યું કે મુખ્યમંત્રીએ આ પરિસરના બાંગુર ઈન્સ્ટીટ્યૂટ ઓફ ન્યૂરોસાન્સિઝમાં એમઆરઆઈ માટે લવાયા છે. બેનર્જીનો ઉપચાર કરી રહેલા ડોક્ટરોની ટીમ સાથે જોડાયેલા ડોક્ટરે કહ્યું કે મુખ્યમંત્રીના ડાબા પગનો એક્સ રે કર્યો. અમે એમઆરઆઈ પણ કરવા ઈચ્છીએ છીએ. તેમના ઘાનું નિરિક્ષણ કર્યા બાદ તેમની સારવાર કરવામાં આવશે. તેમણે કહ્યુ કે એમઆરઆઈ કર્યા બાદ સીએમને સ્પેશિયલ વોર્ડમાં લાવવામાં આવી શકે છે.
રજા આપતા પહેલા તેમની સ્થિતિ પર નજર રાખવી જરુરી
ડોક્ટરોનું કહેવું છે કે તેમને રજા આપતા પહેલા તેમની સ્થિતિ પર નજર રાખવી જરુરી છે. રાજ્ય સરકારે બેનર્જીની સારવાર માટે 5 વરિષ્ઠ ડોક્ટરોની એક ટીમ બનાવી છે. બેનર્જી પર સાંજે ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ મેદિનીપુરના નંદીગ્રામમાં કથિત રુપે હુમલો કરવામાં આવ્યો હતો. બેનર્જીનો આરોપ છે કે 4થી 5 લોકો તેને ધક્કો માર્યો અને તે પડી ગયા. તેમના અનુસાર તેમના પગમાં સોજો આવ્યો અને તાવની સાથે સાથે છાતીમાં દુખાવો પણ થઈ રહ્યો છે.
ટીએમસી નેતાઓ ચૂંટણી આયોગમાં જવાનો નિર્ણય લીધો
મમતા પર કથિત હુમલાને લઈને ટીએમસી નેતાઓ ચૂંટણી આયોગમાં જવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીએ કહ્યું કે તે આ પ્રકારના મામલામાં સંવૈધાનિક સંસ્થાનોની સામે રાખશે. તેમણે કહ્યું કે મમતા બેનર્જીને રોકવા માટે કાયરા ભર્યો પ્રયાસ કરી રહ્યા છે પરણ રોકી નહીં શક્યા. સૌથી પહેલા રાજ્યના એડીજી લો એન્ડ ઓર્ડરને હટાવી દેવાયો. પછી ડીજી અને હવે આ બધું થયું. મને જોઈને આશ્ચર્ય થયું કે આટલા બધા ફેરફાર કરનારું ચૂંટણી પંચ ચૂપ કેમ છે. તેમણે જવાબદારી લેવી જોઈએ.
ભાજપે નાટક ગણાવ્યું
ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જીને તાત્કાલિક કારની પાછલી સીટમાં બેસાડવામાં આવ્યા અને રવાના કરવામાં આવ્યા હતા. જોકે એક મીડિયા ચેનલ સાથે વાતચીતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાએ આ હુમલાને ખોટો ગણાવ્યો હતો. ભાજપ નેતા અર્જુન સિંહે કહ્યું કે મમતા બેનર્જી નાટક કરી રહ્યા છે અને તે જૂઠ બોલવામાં માસ્ટર છે. મમતા બેનર્જી પર આ હુમલા બાદ ભાજપે પોલીસ અને તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે કે આ બધુ થયું ત્યારે પોલીસ શું કરી રહી હતી. સીએમની સુરક્ષામાં તૈનાત લોકો શું કરી રહ્યા હતા.